સરકારે મધ્યમવર્ગને મોટો ઝટકો આપ્યો છે. એક બાજુ મોંઘવારી સતત વધી રહી છે તો બીજી તરફ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો થઇ રહ્યો છે. સરકારે બચતખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. 1 એપ્રિલથી નવા વ્યાજદર અમલમાં આવશે
સરકારે ઝટકો આપતાં PPF પરના વ્યાજદર 7.1 ટકાને બદલે 6.4 ટકા કર્યા છે. તો બચત ખાતામાં વ્યાજદરમાં પણ ઘટાડો કરાયો છે. બચત ખાતામાં વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં વ્યાજ દર 6.9થી ઘટાડી 6.2 ટકા કરાયા છે. તો સુકન્યા સમૃદ્ધિના વ્યાજદરમાં પણ ઘટાડો થયો છે. હવેથી સુકન્યા સમૃદ્ધિના વ્યાજદર 7.6 ના બદલે 6.9 ટકા રહેશે. આમ સરકારે મોંઘવારીમાં લોકોની બચત પર તરાપ મારી છે. સરકારના આ નિર્ણયથી ખાસ કરને નિવૃતિનું જીવન ગાળતા અને બેન્ક તેમજ પોસ્ટ ઓફિસના વ્યાજ દર જીવતા વૃદ્ધોને ખાસ્સી મુશ્કેલી પડશે.