China/ વિવાદ અને ચીન જનમ-જનમનાં સાથી : પડોશનાં 6 દેશોની 41.13 લાખ સ્કવેર કિમી જમીન પચાવી પાડી

ચીન સાથે અડીને આવેલા 6 દેશોની 41.13 લાખ સ્કવેર કિમી જમીન ચીનીઓએ પચાવી પાડી છે.,ભારતની પણ 43 હજાર સ્કવેર કિમી જમીન ચીને હડપી છે. તો સમુદ્ર પર પણ ચીનની દાવેદારી છે.

Top Stories
a 32 વિવાદ અને ચીન જનમ-જનમનાં સાથી : પડોશનાં 6 દેશોની 41.13 લાખ સ્કવેર કિમી જમીન પચાવી પાડી

ચીન સાથે અડીને આવેલા 6 દેશોની 41.13 લાખ સ્કવેર કિમી જમીન ચીનીઓએ પચાવી પાડી છે.,ભારતની પણ 43 હજાર સ્કવેર કિમી જમીન ચીને હડપી છે. તો સમુદ્ર પર પણ ચીનની દાવેદારી છે. 35 લાખ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલા દક્ષિણી ચીન સમુદ્ર પર તે હક જતાવે છે. અહીં ચીને આર્ટિફિશિયલ આઇલેન્ડ પણ બનાવ્યું છે.

1949 માં સામ્યવાદી સરકારની રચના થઈ ત્યારથી ચીને અન્ય દેશો અને પ્રદેશો પર કબજો જારી રાખ્યો છે. ચીનની બોર્ડર 14 દેશોને મળે છે,પરંતુ એક અહેવાલમાં જણાવાયું છે કે ચીને 23 દેશોના વિસ્તાર પર પોતાનો હિસ્સો હોવાનું કહે છે. આટલું જ નહીં, ચીન દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો અધિકાર હોવાનું કહે છે. ઇન્ડોનેશિયા અને વિયેટનામ વચ્ચેનો આ સમુદ્ર 3.5 મિલિયન સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલો છે. ઇન્ડોનેશિયા, ચીન, ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઇથી ઘેરાયેલું છે. પરંતુ, ઇન્ડોનેશિયા સિવાયના તમામ 6 દેશો સમુદ્ર પર પોતાનો દાવો કરે છે.

થોડા વર્ષો પહેલાં, આ સમુદ્ર વિશે કોઈ તણાવ નહોતો. પરંતુ, આજથી આશરે 5 વર્ષ પહેલાં ચીનનાં દરિયામાં ખોદકામ કરનારા જહાજો ઈંટ અને રેતી લઈને દક્ષિણ ચીન સમુદ્રમાં પહોંચ્યા હતા. અને કૃત્રિમ ટાપુઓનું નિર્માણ શરૂ કર્યું હતું ત્યારથી વિવાદ સર્જાતો રહ્યો છે. અહીં સૌ પ્રથમ નાના દરિયાઈ પટ્ટા પર બંદર બનાવવામાં આવ્યું હતું. પછી વિમાનના ઉતરાણ માટેની એરસ્ટ્રીપ બનાવી હતી. ચીને અહીં એક આર્ટિફિશિયલ આઇલેન્ડ તૈયાર કરી તેને સૈન્ય મથક બનાવ્યો છે.

ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ ચીન રશિયા અને કેનેડા પછીનો સૌથી મોટો દેશ છે. ચીનનું કુલ ક્ષેત્રફળ 97 લાખ 6 હજાર 961 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલું છે. 14 દેશો સાથે 22 હજાર 117 કિમી લાંબી સરહદ ચીન ધરાવે છે. વિશ્વનો એ એક એવો દેશ છે જેની સરહદ સૌથી વધુ દેશો સાથે જોડાયેલી છે. ચીનની વિસ્તારવાદી નીતિના કારણે એ તમામ દેશો સાથે ચીન ગંભીર સરહદી વિવાદ ઊભો કરી ચૂક્યું છે. ચીનના મેપમાં પૂર્વ તુર્કીસ્તાન, તિબેટ, ઇનર મંગોલિયા અથવા દક્ષિણ મંગોલિયા, તાઈવાન, હોંગકોંગ અને મકાઉના 6 દેશો જોવા મળે છે.

આ એવા દેશો છે જેનું અલગ અસ્તિત્વ ખતમ કરીને ચીને તેનાં પર કબજો મેળવી લીધેલો છે અને તેને પોતાનો હિસ્સો ગણાવે છે. આ તમામ દેશોનો કુલ વિસ્તાર 41 લાખ 13 હજાર 709 સ્કવેર કિમીથી વધુ છે. પચાવેલી આ જમની તે ચીનના કુલ ક્ષેત્રનો 43% છે.  1949માં ચીને પૂર્વી તુર્કીસ્તાન પર કબજો કર્યો હતો. ચીન તેનો ઉલ્લેખ શિનજિયાંગ પ્રાંત તરીકે કરે છે. 45% ઉઈગર મુસ્લિમ છે, જ્યારે 40% હાન ચિની છે. ઉઈગર મુસ્લિમો તુર્ક મૂળના હોવાનું માનવામાં આવે છે. તિબેટની જેમ જ ચીને પણ શિનજિયાંગને સ્વાયત્ત ક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે.

23 મે 1950ના રોજ, હજારો ચીની સૈનિકોએ તિબેટ પર હુમલો કરી કબજો કર્યો હતો. પૂર્વી તુર્કીસ્તાન પછી તિબેટ ચીનનો બીજો સૌથી મોટો પ્રાંત છે. જેની 78% વસ્તી બૌદ્ધ છે. 1959માં ચીને તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને અંગરક્ષક વિના બેઇજિંગ આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા જેથી ચીન તેની ધરપકડ ન કરી શકે. દલાઈ લામાને પછીથી ભારતમાં આશરો લેવો પડ્યો. 1962 માં ભારત-ચીન યુદ્ધ પાછળનું એક કારણ આ પણ હતું.

બીજા વિશ્વ યુદ્ધ પછી ચીને ઇનર મંગોલિયા પર કબજો કર્યો હતો. 1947માં ચીને તેને સ્વાયત્ત જાહેર કર્યું કે, ઇનર મંગોલિયા એ એરિયાના હિસાબે ચીનનો ત્રીજો સૌથી મોટો સબ-ડિવિઝન છે. ચીન અને તાઈવાનનો સંબંધ જુદો છે. 1911માં ચીનમાં કોમિંગટાંગની સરકારની રચના થઈ. અહીં 1949માં ગૃહ યુદ્ધ શરૂ થયું હતું અને માઓ ત્સે તુંગની આગેવાની હેઠળના સામ્યવાદીઓએ કોમિંગટાંગની પાર્ટીને હરાવી હતી. હાર પછી કોમિંગટાંગ તાઈવાન ગયો. 1949માં, ચીનને ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના’ અને તાઈવાનને ‘રિપબ્લિક ઓફ ચાઇના’ નામ આપવામાં આવ્યું.

બંને દેશો એક બીજાને માન્યતા આપતા નથી. જોકે, ચીન દાવો કરે છે કે તાઇવાન પણ તેનો ભાગ છે. જ્યારે કે તાઈવાન પોતાને સ્વાયત્ત દેશ ગણાવે છે. હોંગકોંગ અગાઉ ચીનનો ભાગ હતો, પરંતુ 1842માં બ્રિટિશરો સાથેના યુદ્ધમાં ચીને તેને ગુમાવી દીધો હતો. 1997માં બ્રિટને ચીનને હોંગકોંગ પરત કર્યું. પરંતુ તેણે ‘વન કન્ટ્રી, ટુ સિસ્ટમ’ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. જે હેઠળ ચાઇના આગામી 50 વર્ષ માટે હોંગકોંગને રાજકીય સ્વતંત્રતા આપવા સંમત થયું હતું. હોંગકોંગના લોકોને વિશેષ અધિકાર મળ્યા છે. જે ચીનના લોકો પાસે નથી. ચીનને હવે એ બહુ જ કઠે છે.

મકાઉ લગભગ 450 વર્ષથી પોર્ટુગીઝના કબજા હેઠળ હતું. ડિસેમ્બર 1999માં પોર્ટુગીઝોએ તેને ચીનને પરત કર્યું. મકાઉ ટ્રાન્સફર કરતી વખતે હોંગકોંગ સાથે સમાન કરાર થયો હતો. હોંગકોંગની જેમ મકાઉને પણ ચીને 50 વર્ષની રાજકીય સ્વતંત્રતા આપી છે. તો ચીન અરુણાચલ પ્રદેશના 90 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરે છે. જ્યારે લદ્દાખનો લગભગ 38 હજાર સ્કવેર કિલોમીટરનો ભાગ ચીનના કબજા હેઠળ છે. આ સિવાય 2 માર્ચ 1963ના રોજ, ચીન અને પાકિસ્તાન વચ્ચેના કરાર હેઠળ પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કાશ્મીરનો 5 હજાર 180 સ્કવેર કિમીનો ભાગ ચીનને ભેટ આપી દીધો હતો. અત્યારે ભારતના જેટલા વિસ્તાર પર ચીનનો કબજો છે. ચીને ભારતના કુલ 43 હજાર 180 સ્કવેર કિલોમીટર પર કબજો કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…