આચાર્ય ચાણક્ય ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાંના એક માનવામાં આવે છે. ચાણક્યએ તેની નીતિમાં તેમના જ્ઞાન અને અનુભવથી જે જાણ્યું અને સમજયુ તે બધું જ નોધ્યું હતું. ચાણક્ય નીતિ હજી પણ જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. આ જ કારણ છે કે આજે પણ મોટી સંખ્યામાં લોકો ચાણક્યની નીતિનો અભ્યાસ કરે છે અને તેમને જે કહેવામાં આવ્યું છે તેનું પાલન કરવાનો પ્રયાસ કરે છે.
ચાણક્ય નીતિ વ્યક્તિના જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે. જીવનના ઉતાર-ચઢાવમાં વ્યક્તિએ કેવી રીતે વર્તવું જોઈએ તે શીખવે છે. આ જ કારણ છે કે ચાણક્ય નીતિની લોકપ્રિયતા આજે પણ ચાલુ છે. ચાણક્યએ પોતાની ચાણક્ય નીતિમાં અગત્યની બાબતો કટોકટીનો સામનો કરવા જણાવ્યું છે. ચાણક્ય અનુસાર, વ્યક્તિની વાસ્તવિક પરીક્ષા સંકટ સમયે જ થાય છે. તે કટોકટીના સમયે જ પરખાય છે કે વ્યક્તિ લાયક છે કે નહિ. પોતાનું કોણ છે અને પરાયું છે, કટોકટીથી બચવા માટે ચાલો જાણીએ ચાણક્યની ચાણક્ય નીતિ શું કહે છે-
आपदर्थे धनं रक्षेच्छ्रीमतां कुत आपद:।
कदाचिच्चलिता लक्ष्मी: सञ्चितोऽपि विनश्यति।।
ચાણક્ય નીતિના આ શ્લોકનો અર્થ એ છે કે મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવા માટે સંપત્તિ એકઠી કરવી જોઈએ, કારણ કે ધનની દેવી, લક્ષ્મી જીનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે. એક સમય એવો આવે છે કે સંચિત સંપત્તિનો પણ નાશ થાય છે. સંપત્તિનો સંચય એ વ્યક્તિની સમજની નિશાની છે. વ્યક્તિએ આ વિશે ગંભીર હોવું જોઈએ.
ચાણક્ય માનતા હતા કે કટોકટીના સમયમાં સ્વાર્થી લોકો સાથે છોડી જાય છે. ફક્ત સંકટ સમયે જ આપણી અને પારકાની ઓળખ થાય છે. સંકટ સમયે પૈસા એ સાચા મિત્ર છે. તેથી જ આપણે પૈસા બચાવવા જોઈએ કારણ કે મુશ્કેલીના સમયમાં એ જ કામ આવે છે.