વૈજ્ઞાનિકોએ હાલમાં દાવો કર્યો છે કે જો ૨ વર્ષ સુધીના બાળકને પેરાસિટામોલ દવા આપવામાં આવે તો ૧૮ વર્ષની ઉંમર સુધી તેમને અસ્થમા થવાનો ખતરો વધી જાય છે.
શોધકર્તાના કહેવા પ્રમાણે પેરાસિટામોલ ખાવાથી શ્વાસની બીમારી થવાનો ખતરો વધી જાય છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ભલે પેરાસિટામોલ દવા અને અસ્થમા વચ્ચે કોઈ સંબંધ નથી પણ એવું પણ નથી કે તાવની દવા લેવાથી અસ્થમા થઇ જાય.
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ મામલા પર હજુ ઘણી શોધ કરવાની બાકી છે.
સમાચાર સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સંશોધન સુધી પહોચવા માટે વૈજ્ઞાનિકોએ ૧૮ વર્ષ સુધીની ઉંમરવાળા ૬૨૦ બાળકો પર અભ્યાસ કર્યો હતો. આ સંશોધનમાં જેટલા પણ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમના પરિવારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિને શ્વાસ સંબંધી બીમારી હતી.