અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતને જામીન મળી ચૂક્યા છે. કોર્ટે ભરત મહંતને 15 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે હોસ્પીટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એફએસએલ અને ફાયર વિભાગના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ કરી હતી.
નોધનીય છે કે, શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા હતા. થોડા દિવસો અગાઉ અમદાવાદ ના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રેય હોસ્પીટલમાં મધરાત્રી એ icu વોર્ડ મા આગની ઘટના ઘટી હતી. જેમાં કોરોના ની સારવાર લઈ રહેલ 8 દર્દી ના દુઃખદ મોત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.