Not Set/ 11 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયાં નવા કોરોના 1120 કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના નવા કેસની સંખ્યા 1120 છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 
228803 ઉપર પહોંચ્યો  છે. 

Top Stories Gujarat Others
robo dainasor 28 11 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયાં નવા કોરોના 1120 કેસ

દિવાળી બાદ રાજ્યમાં વકરેલો કોરોના વાઈરસની પકડ ફરી એકવાર ઘટતી જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના નવા કેસની સંખ્યા 1120 છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો
228803 ઉપર પહોંચ્યો  છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1389 છે. જે સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 211603 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 13018 છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગતો *

અમદાવાદ -247
સુરત -175
વડોદરા -151
ગાંધીનગર -53
ભાવનગર -16
બનાસકાંઠા -13
આણંદ -15
રાજકોટ -129
અરવલ્લી -5
મહેસાણા -47
પંચમહાલ -17
બોટાદ -2
મહીસાગર -6
ખેડા -17
પાટણ -9
જામનગર -35
ભરૂચ -14
સાબરકાંઠા -22
ગીર સોમનાથ -10
દાહોદ -9
છોટા ઉદેપુર -1
કચ્છ -17
નર્મદા -13
દેવભૂમિ દ્વારકા -5
વલસાડ -3
નવસારી -3
જૂનાગઢ -20
પોરબંદર -1
સુરેન્દ્રનગર -31
મોરબી -15
તાપી -2
ડાંગ 0
અમરેલી -17

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…