ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ભય છે. આ ચેપથી અત્યાર સુધીમાં 2.44 કરોડ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 8.31 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ ગયા છે. ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા વધીને 33,87,500 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 77,266 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં સામે આવેલા કોરોનાનાં કેસની આ સૌથી મોટી સંખ્યા છે.
India’s #COVID19 case tally at 33.87 lakh with a record spike of 77,266 fresh cases, & 1,057 deaths in the last 24 hours.
COVID-19 case tally in the country stands at 33,87,501 including 7,42,023 active cases, 25,83,948 cured/discharged/migrated & 61,529 deaths: Health Ministry pic.twitter.com/uANJwfrbey
— ANI (@ANI) August 28, 2020
આ દરમિયાન દેશમાં 1,057 કોરોના સંક્રમિતોની મોત થઇ ચુકી છે. 25,83,948 દર્દીઓ ઠીક થયા છે અને 61,529 લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. રિકવરી દર વિશે વાત કરવામાં આવે તો તે થોડો વધારો થયા બાદ 76.27 ટકા પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો – તબલીગી જમાતનાં 630 વિદેશી સભ્યોએ ભારત છોડ્યું, 1095 લુકઆઉટ નોટિસ હટાવાઈ
પોઝિટિવિટી રેટ 8.57 ટકા છે. ઓગસ્ટ 26 નાં રોજ 9,24,998 કોરોના સેમ્પલોનાં ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 3,85,76,510 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશનાં લગભગ તમામ રાજ્યોમાંથી કોરોના દર્દીઓ આવે છે. એવા ઘણા રાજ્યો છે, જે આ રોગચાળાથી મુક્ત થયા છે.
The total number of samples tested up to 27th August is 3,94,77,848 including 9,01,338 samples tested yesterday: Indian Council of Medical Research (ICMR)#COVID19 pic.twitter.com/RVvfxGaguO
— ANI (@ANI) August 28, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.