વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લગતા એક કાર્યક્રમમાં, ચેન્નાઇમાં ઉજવણી માતમમાં ફેરવાઇ ગઈ છે. ફટાકડાના સ્પાર્કને કારણે ગેસથી ભરેલા ફુગ્ગાઓનો એક મોટા જથ્થા ને આકાશમાં છોડતા પહેલાજ વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે ભાજપના સભ્યો પાર્ટીના કિસાન મોરચાના રાજ્ય કક્ષાના અધિકારીને ફૂલ માલા અર્પણ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, ફટાકડા ફોડતા જેના તણખાના કારણે ફુગ્ગાઓ અચાનક નીચે જ ફાટી નિકયા હતા. અમને જણાવી દઈએ કે PM મોદીના જન્મદિવસની ઉજવણી ભાજપ ‘સેવા દિવાસ’ તરીકે એક અઠવાડિયા સુધી ઉજવી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે ફુગ્ગાઓ ફાટતાની સાથે જ ત્યાં એક આગના ગોળા જેવુ બની ગયું હતું. જેનાથી પાર્ટી કાર્યકરો ભગવું પડ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકરોએ આકાશમાં હાઇડ્રોજન ગેસથી ભરેલા 100 ફુગ્ગાઓ છોડવાની યોજના બનાવી હતી. આ ઘટનામાં ઘણા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. તેમનેનજીકની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પરવાનગી વિના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેથી કોરાત્તુર પોલીસે ઘટનાના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ઘટનાનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….