જામનગર માં 17 વર્ષ ની દીકરી સામિહક દુષ્કર્મ મામલે આજે મહિલા આયોગનાં ચેરમેન લીલાબેન અંકોલીયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બની તે માટે મેં DSP ને તપાસનાં આદેશ આપી દીધા છે.
આપને જણાવી દઇએ કે, આ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં બંને આરોપી ઇમરાન હાજીરમજાની મુલ્તાની અને અનિતખાન જરજીસખાન પઠાણની ધરપકડ કરી લીધી હતી અને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ અંગે મહિલા આયોગનાં ચેરમેન લીલાબેને કડક પ્રતિક્રિયા આપી છે. આ મામલે તેમણે મહિસાગર જિલ્લાનાં પોલીસવડા પાસે રિપોર્ટ માગ્યો હતો. આવુ કૃત્યુ કરનારને સખત સજા કરવા માટે પણ તેમણે સૂચવ્યું છે. તેમણે કહ્યુ કે, મહિલાઓ પર આવી ઘટના બનવી તે નિંદનીય છે. અમારો પ્રયત્ન દીકરીઓને ન્યાય આપાવી દોશીઓને સજા અપાવવાનો છે. તેમણે વધુમાં કહ્યુ કે, સરકાર હેલ્પલાઇન ચાલુ કરી રહી છે તેનો મહિલાઓ એ લાભ લેવો જોઈએ. દેશની કોઇપણ મહિલા સાથે આવુ બને તે યોગ્ય નથી. પોતાના પર બનતા બનાવો માટે મહિલાઓએ પોતે જ બહાર આવવું જોઇએ. તેમણે કહ્યુ કે, જે કોઈ દોશીઓ હોય તેમને સજા થાય તેવો આયોગનો અભિગમ રહેલો છે.
આ પણ વાંચો – PM મોદી આજે કરશે વૈશ્વિક એઆઈ શિખર સમ્મેલન Raise 2020 નું ઉદ્ઘાટન
ઉલ્લેખનીય છે કે, યુપીનાં હાથરસમાં બનેલી ઘટનાનાં પડઘા દેશનાં તમામ ખૂણે સંભળાઇ રહ્યા છે. ત્યારે આ મામલાની જો વાત કરીએ તો આરોપીઓએ મહિલાને ફોન પર ધમકાવી પોતાના ઘરે બોલાવી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલા પર વારંવાર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ મહિલાનાં બાળકો મારી નાખવા સહિત મહિલાને પણ મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ હિંમત કરી સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.