પોરબંદર,
પાકિસ્તાનની નાપાક હરકત એક પછી એક સામે આવી રહી છે. આજે સવારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળ સીમા નજીક ફિશીંગ કરતી બોટોનુ અપહરણ કરવામાં આવ્યું છે.જેમાં 6 બોટ અને 30 જેટલા માછીમારોનો સમાવેશ થાય છે. જણાવીએ કે અપહરણ કરવામાં આવી તે બોટો પોરબંદર અને ઓખાની બોટ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જણાવીએ કે નેશનલ ફિશવર્કર ફોરમના સેકટરી મનીષ લોધારીએ જણાવ્યું કે અમારા માછીમારો થોડા દિવસ પહેલા માછીમારી કરવા ગયા હતા ત્યારે પાકિસ્તાનીઓ મરીન એજન્સીએ તેમને ખોટી રીતે પકડી લીધા હતા.
પાકિસ્તાન મરીને જે માછીમારોને પકડીયા છે તેમને કરાચી પોર્ટ પર લઇ જવામાં આવ્યા છે.