સુરેન્દ્રનગર,
આજે PM સુરેન્દ્રનગરમાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે ૫ વર્ષ પૂર્વે કાશ્મીરમાં શહીદ થયેલા ભાઈ બસીર અહેમદ ને જે જમીન ફાડવામાં આવી છે,જે હજુ સુધી તેમને મળી નથી ના આક્ષેપ સાથે તે કોઈ જમીન નકલો લઈને PM મોદીની સભામાં પહોચીને PM સમક્ષ રજુઆત કરવાની જીદ કરતા પોલીસે તેમને સભા સ્થળેથી દુર કર્યા હતા.
બે દિવસ પહેલાજ CMની સભામાં પણ શહીદની દીકરીને આજ રીતે દુર કરવામાં આવી હતી,ત્યારબાદ શહીદની પત્નીને તેમને ફાળવાયેલી જમીનની રસીદ આપવામાં આવી હતી, હવે જોવું એ રહ્યું કે આજે રજૂઆત કરવા પહુચેલી બહેનની સમસ્યા ક્યારે ઉકેલાશે, આ ઉપરાંત તેમને જણાવ્યું હતુકે સ્થાનિક કલેક્ટર અને ગાંધીનગરમાં અનેક રજુવાત કરવા છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી તેથી આજે PM સમક્ષ રજૂઆત કરવા આવી હતી.