પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે તેમના પાંચ દિવસીય ‘મિશન દિલ્હી’ ની શરૂઆત કરી છે. બંગાળમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા પછી આ પહેલીવાર છે જ્યારે મમતા બેનર્જી દિલ્હી પ્રવાસ પર છે. આજે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. આ ઉપરાંત મમતા કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓને પણ મળવાના છે.
આ પણ વાંચો :ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહાકાળનાં દર્શન કરવા પહોંચ્યા લોકો, ઘણા થયા ઈજાગ્રસ્ત, Video
આપને જણાવી દઈએ કે સીએમ મમતા બેનર્જી સોમવારે સાંજે દિલ્હી પહોંચ્યા છે. પાંચ દિવસીય દિલ્હી પ્રવાસ દરમિયાન લોકોની નજર મમતા બેનર્જી પર છે. 2024 ની લોકસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભાજપને સત્તા પરથી ઉથલાવવા અને વિરોધી પક્ષોને એક કરવાના આશય સાથે વિરોધી પક્ષો સાથે બેઠક કરશે.
માર્ચ-એપ્રિલમાં યોજાયેલી બંગાળની ચૂંટણીઓ પછી મમતા બેનર્જી અને પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર સામ-સામે-સામનો કરશે. બીજી ખાસ વાત એ છે કે પીએમ મોદી સાથે મમતાની મુલાકાત એવા સમયે થવાની છે જ્યારે મમતા કેન્દ્ર સરકાર પર પેગાસસ જાસૂસી વિવાદ અને મીડિયા ગૃહો પર દરોડા જેવા મુદ્દાઓ પર હુમલો કરી રહ્યા છે. સૂત્રો કહે છે કે મીટિંગ દરમિયાન મમતા બેનર્જી પીએમ મોદી પાસેથી જીએસટી લેણાંની ચુકવણી, રસીની માંગ અને વિવિધ આફતો માટે બંગાળને વળતરની માંગ કરશે.
આ પણ વાંચો :61 વર્ષના થયા ઉદ્ધવ ઠાકરે, PM મોદીએ પાઠવી જન્મદિવસ પર શુભકામના
સોમવારે દિલ્હી પહોંચ્યા પછી, મમતા બેનર્જીની પહેલી મુલાકાત પત્રકાર વિનીત નારાયણ સાથે થઇ, જેમણે 1996 માં જૈન હવાલા કૌભાંડ અંગે એક પુસ્તક લખ્યું હતું. તાજેતરમાં જ મમતાએ આક્ષેપ કર્યો હતો કે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર આ કૌભાંડના કથિત લાભાર્થીઓમાંના એક છે. જોકે, ધનખરે આ દાવાને નકારી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળી શકે છે.
ટીએમસી વડા 2024 ની લોકસભાની ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા નિભાવવાની તૈયારીમાં છે. સતત ત્રીજી વખત પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ મમતા બેનર્જીની આ પહેલી દિલ્હી મુલાકાત છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મમતા પોતાને ત્રીજા મોરચાના ચહેરા તરીકે જોવા માંગે છે.
આ પણ વાંચો :રાહુલનો ગૃહમંત્રી પર કટાક્ષ, કહ્યુ- તમે નફરત અને અવિશ્વાસ વાવીને દેશને નિષ્ફળ બનાવ્યો
આ પણ વાંચો : રાજ કુંદ્રા પર અમદાવાદના વેપારીએ લગાવ્યો છેતરપિંડીનો આરોપ, જાણો સમગ્ર મામલો