આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો બીજો તબક્કો ઉત્તર પ્રદેશમાં આજ થી શરુ થશે . મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઓપચારિક રીતે તેનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ની શરૂઆત સાથે, CM યોગી યોજનાના મહિલા લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. બીજા તબક્કામાં લગભગ 20 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટના રોજ દેશમાં ઉજ્જવલા યોજના 2.0 ની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો :નારાયણ રાણેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ તેમને તરત જામીન મળ્યા
ઉજ્જવલા 2.0 યોજનામાં, સ્થળાંતરિત મજૂરો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે જે અગાઉ સરનામાના પુરાવાના અભાવે આ લાભથી વંચિત હતા. ઉજ્જવલા યોજના 1.0 હેઠળ રાજ્યમાં 01 કરોડ 47 લાખ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. આ સમગ્ર દેશમાં સૌથી વધુ મફત એલપીજી કનેક્શન છે.. પરંતુ આ વખતે સરકારે આ માટે ખાસ જોગવાઈ પણ કરી છે. જેમની પાસે સરનામાનો પુરાવો નથી તેઓ પણ ઉજ્જવલા યોજના 2.0 નો લાભ મેળવી શકશે.
આ પણ વાંચો : જન્માષ્ટમીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય,30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ
યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ એટલે કે એલપીજી કનેક્શન આપે છે. આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે. ઉજ્જવલા યોજના 2.0 હેઠળ, લાભાર્થીઓને વિનામૂલ્યે પ્રથમ રિફિલ આપવાની સાથે, ચૂલો પણ મફત આપવામાં આવશે. આ સિવાય, જો તમે ઘરથી ક્યાંક દૂર ભાડે રહો છો, અને તમારી પાસે કાયમી રહેઠાણ પ્રમાણપત્ર એટલે કે સરનામાંનો પુરાવો ન હોય તો પણ તમે આ યોજના હેઠળ ગેસ કનેક્શન પણ લઈ શકો છો.
આ પણ વાંચો :તાલિબાનની નવી સરકાર બનાવવાની તૈયારી, અમેરિકાને 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ ખાલી કરવા અલ્ટીમેટમ