- નરેશ પટેલને લઈને મોટા સમાચાર
- નરેશ પટેલ અને રઘુ શર્મા દિલ્લી જશે: સૂત્ર
- સોનિયા અને રાહુલ ગાંધીને મળશે નરેશ પટેલ
ગુજરાતમાં નરેશ પટેલને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, નરેશ પટેલ છેલ્લા ઘણા સમયથી કઇ પાર્ટીમાં જોડાશે તે હજુ તેમણે સ્પષ્ટ કર્યું નથી, પરતું,દરેક રાજકીય પાર્ટીઓ એવું ઇચ્છી રહી છે કે સમાજના સક્રીય મોંભેદાર અમારી પાર્ટીમાં જોડાય, હાલમાં નરેશ પટેલ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સાથે દિલ્હી જવાના સમાચાર સામે આવ્યા છે. આધારભૂત સૂત્રોએ જણાન્યું છે કે નરેશ પટેલ દિલ્હીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળશે
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા પાસ નેતાઓની બેઠક મળી હતી જેમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ પણ સામે હતા અને બે દિવસ પહેલા જ હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.આ મોટી ઘટના ઘટ્યા બાદ નરેશ પટેલ અને કોગ્રેસના પ્રભારી રઘુ શર્મા દિલ્હી જવાના છે.