પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ ભગવાન રામ સાથે સોદો કરે છે, શું પીએમ મોદીએ ભગવાન રામને બનાવ્યા છે? ભાજપના લોકોનું સૂત્ર છે કે મોદી રામને લાવ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્ય પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે.
જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી જ્યારે સ્વામી પ્રસાદ મૌર્યએ દેવી-દેવતાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હોય. વર્ષ 2014માં સ્વામી પ્રસાદ મૌર્યએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે લગ્નમાં ગૌરી-ગણેશની પૂજા ન કરવી જોઈએ. દલિતો અને પછાત લોકોને મનુવાદી વ્યવસ્થામાં ગુમરાહ કરીને ગુલામ બનાવવાનું આ ષડયંત્ર છે.
વર્ષ 2014માં સ્વામી પ્રસાદ મૌર્ય BSPના રાષ્ટ્રીય મહાસચિવ હતા. આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં સ્વામી પ્રસાદ મૌર્યને 295-Aમાં સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તેમજ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદને લઈને કહી મોટી વાત, વાંચો સમગ્ર અહેવાલ
આ પણ વાંચો:PM મોદીના વડનગરમાં BJPની શું હાલત, AAP અને કોંગ્રેસની કેટલી અસર?
આ પણ વાંચો: નવસારીમાં નડ્ડા કોંગ્રેસ પર વરસ્યાઃ પીએમ નેહરુએ એક તો PM