અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટના આરોપીઓની સજા હવે 18 ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. બ્લાસ્ટ કેસમાં મંગળવારે કોર્ટે આરોપી પક્ષ અને સરકારી વકીલની તમામ દલીલો સાંભળી હતી. બંને વકીલોની દલીલોને અંતે સરકારી વકીલે તમામ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે જ્યારે આરોપી પક્ષના વકીલે લઘુત્તમ સજાની માંગણી કરી છે.
મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, બંને પક્ષોની તમામ દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હવે કોર્ટ દ્વારા નિર્ણય લેવાની પ્રક્રિયા 18મી સુધી પેન્ડિંગ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શ્રેણીબદ્ધ બ્લાસ્ટના 49 આરોપીઓ સામે 18 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત કરવામાં આવશે. જેમાં આરોપીને મોત અથવા આજીવન કેદની સજા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ 26 જુલાઈ 2008ના રોજ થયો હતો. આ દરમિયાન અમદાવાદના 20 વિસ્તારોમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોના મોત થયા હતા. જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે 99 આતંકવાદીઓ પ્રાથમિક ગુનેગાર હોવાનું જણાયું હતું અને તેમાંથી 82ની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ આઠ ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
માનસિક વિકૃતિ / એક તરફી ગાંડો પ્રેમ જે બીજાને પણ નુકસાનકારક નીવડી શકે: ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર
ગુજરાત / ગૃહમંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા છે :ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ
સુરક્ષામાં ચૂક / નકલી પાસથી નમો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લાઈવ સટ્ટો રમ્યા, પણ પછી..