Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં મહા વિસ્ફોટ , 24 કલાકમાં કોરોનાના 3350 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,

Top Stories Gujarat
Untitled 18 4 રાજ્યમાં કોરોનાના કેસમાં મહા વિસ્ફોટ , 24 કલાકમાં કોરોનાના 3350 કેસ નોંધાયા

સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા  રસીકરણ હાથ ધરવામાં આવ્યું  છે . જેમાં  આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો રોગ  આવી રહ્યો છે . જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદ્ર્કારીના  ના લીધે  કેસો માં સતત દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા  છે. કોરોના  કેસ માં સતત  ઉછાળો જોવા  મળી રહ્યો  છે . સાથે  કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3350કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3350કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી  વધુ 1637કેસ  વડોદરામાં 150, આણંદમાં 144કેસ, સુરતમાં 630  , રાજકોટમાં 141 કોરોનાના  કેસ ખેડામાં 84 કેસ નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 236દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી    એક દર્દીનુ  મોત  થયું  છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,40,153પર  પહોચ્યો છે  . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,523ને આસપાસ થઈ  છે

આ  પણ વાંચો:Business / શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?

PM નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ડર, મૂંઝવણ અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તો સાથે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં અંગે પણ જણાવ્યું હતું .  . આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.તેમજ  બાળકોને પણ રસીના આપવામાં આવી રહી છે

રાજ્યમાં કોરોનાના કેસમાં મહા વિસ્ફોટ
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 3350 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 1637 કેસ
સુરતમાં 630 કેસ નોંધાયા
વડોદરામાં 150 કેસ રાજકોટમાં 141
આણંદમાં 114, ખેડામાં 84, ગાંધીનગરમાં 59
કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39
છેલ્લા 24 કલાકમાં 236 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10994
રાજ્યમાં કોરોનાથી 1 દર્દીનું મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,40,153
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,523
રાજ્યમાં ઓમિક્રોનના 50 કેસ નોંધાયા