Covid-19/ કોરોનાથી રાજ્યમાં થયા ફક્ત 2 લોકોનાં મોત, આટલા આવ્યા નવા કેસ

ગુજરાતમાં કોરોનાની ગતી મંદીતો પડી જ છે એટલુ જ નહીં પરંતુ કોરોના ગુજરાતમાં કોરોના સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ જોવામાં આવી રહ્યો છે. દુનિયામાં કોરોનાનાં ખડભડાટ વચ્ચે

Top Stories Gujarat
corona કોરોનાથી રાજ્યમાં થયા ફક્ત 2 લોકોનાં મોત, આટલા આવ્યા નવા કેસ

ગુજરાતમાં કોરોનાની ગતી મંદીતો પડી જ છે એટલુ જ નહીં પરંતુ કોરોના ગુજરાતમાં કોરોના સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ જોવામાં આવી રહ્યો છે. દુનિયામાં કોરોનાનાં ખડભડાટ વચ્ચે ભારત માટે ધીમા પણ મક્કમતા સાથેનાં સારા સમાચાર આવી રહ્યા છે, તો ગુજરાતમાં તો કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે. પાછલા લાંબા સમયથી ગુજરાતનાં રોજ પ્રસિદ્ધ થતા કોરોનાનાં આંકડા પર નજર કરવામાં આવે તો કોરોના ગુજરાતમાં નાબુદી તરફ આગળ વધી રહ્યો છે તેવુ કહેવુ બીલકુલ ગેરવ્યાજબી કહેવાશે નહી.  જો વાત કરવામાં આવે આજે સામે આવેલા કોરોનાનાં આંકડાની તો….

કોરોના નવા કેસની સંખ્યા 485 – મૃત્યુ 2

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 485 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 02 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

આટલા દર્દી સાજા થયા

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  709 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 246516 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 5967 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 5967 એકટિવ  કેસમાંથી 52 વેન્ટીલેટર પર છે, જ્યારે 5915  દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

કોરનાનો કુલ આંકડો રહ્યો આટલો

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 485 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 256852 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 02 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4369 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

રાજ્યનો આ છે રીકવરી રેટ

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ‍રાજયભર‍માંથી‍ આજે 709 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકવરી રેટ 95.98 થયો છે.  રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ ‍‍‍‍246516  દદીઓ‍એ‍ કોરોનાને ‍મ્હાત‍ આપી છે.‍

આટલા લોકો છે કોરન્ટાઇન

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 467612 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 46483 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 129 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…