ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી ઇનિંગ શરુ થઇ ચુકી છે. રાજ્ય્માંકોરોના સંક્રમીતોની સંખ્યા 2 લાખને પાર કરી ચુકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટરના માધ્યમથી સરકાર ઉપર આક્ર પ્રહારો કર્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના વિસ્ફોટ અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરતા આંકડાઓમાં ગરબડ હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
નોધનીય છે કે, ભૂતકાળમાં પાંસા સરકાર ઉપર કોરોનાને લઈને કોંગ્રેસ દ્વારા અનેક પ્રકારના આક્ષેપ થઇ ચુક્યા છે. ટ્વીટર માં મધ્યથી તેમને સરકાર ને સવાલો પૂછ્યા છે.
હાર્દિક પટેલે કરેલા ટ્વીટ
(1) ત્રણ મહિના પહેલાં ગુજરાતમાં દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા 1450 આવતી હતી અને આજે પણ 1450 કેસ આવે છે તો ત્યારે ત્રણ મહિના પહેલાં કેમ કરફ્યુ કે લૉકડાઉન નહીં. અત્યારે કેમ રાત્રિ કરફ્યુ નાંખવામાં આવ્યો છે ? આંકડાઓ ખોટા છે કે સરકારના નિયમો ?
https://twitter.com/HardikPatel_/status/1331148956777263104?s=08
https://twitter.com/HardikPatel_/status/1331154424480337921?s=19
https://twitter.com/HardikPatel_/status/1331092218082258945?s=08
(2) ગુજરાતમાં કોરોના દર્દીઓ ની સંખ્યામાં પણ પેટર્નમાં જ બતાવવામાં આવી રહી છે. શરૂઆતમાં 400થી 450 કેસ, ત્યારબાદ ત્રણ મહિના 900થી 950 કેસ અને છેલ્લાં કેટલાંક સમયથી 1400થી 1450 દર્દીઓની સંખ્યા બતાવવામાં આવી રહી છે. સરકારે કોઈ તો ગોટાળો કર્યો છે.
(3) ગુજરાત સહિત કેન્દ્રની ભાજપા સરકારે લોકોને કોરોનાના મામલે અસત્ય પીરસવાનું કામ કર્યું છે. દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે. કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે પરંતુ ભાજપ સરકારે ઠોસ કામગીરી કરી નથી. હોસ્પિટલ, ડૉક્ટર અને સ્વાસ્થ્ય સુવિધાના મામલે સરકાર લાપરવાહ છે.