ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરીએકવાર ફૂંફાળો માર્યો છે. રાજ્યમાં દિવાળી બાદ કોરોના બોમ્બ ફૂટ્યા જેવી પરિસ્થિતિ છે. ગુજરાતમાં ફરી ભયજનક પરિસ્થિતિ બનતા સરકાર દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં રાત્રી કર્ફ્યું નાખવામાં આવ્યો છે. જયારે અમદાવાદમાં નાખેલા સતત 57 કલાકનો કર્ફ્યું આવતી કાલે સવારે ૬ વાગ્યે પુય્ર્ણ થશે. પરંતુ રાત્રી કર્ફ્યું યથાવત રહેશે.
આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1495 કેસ નોંધાયા છે. જેસાથે રાજ્યમાં નોધાયેલા કુલ કેસની સંખ્યા 197412 ઉપર પહોચી છે.
તો સાથે છેલ્લા 24 કલાકમાં 1167 દર્દીઓ સાજા થયા છે અને રજા આપવામાં આવી છે. જે રાજ્યમાં અત્યાર સુધી કુલ સ્વસ્થ્ય થયેલા દર્દીઓની સંખ્યા 1,79,953 પર પહોચી છે. આજે 13 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3859 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં હાલમાં 13600 એક્ટિવ કેસ છે.
*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત *
અમદાવાદ 341
સુરત 266
વડોદરા 166
ગાંધીનગર 94
ભાવનગર 23
બનાસકાંઠા 28
આણંદ 15
રાજકોટ 145
અરવલ્લી 15
મહેસાણા 60
પંચમહાલ 24
બોટાદ 3
મહીસાગર 20
ખેડા 23
પાટણ 30
જામનગર 40
ભરૂચ 13
સાબરકાંઠા 21
ગીર સોમનાથ 14
દાહોદ 15
છોટા ઉદેપુર 3
કચ્છ 31
નર્મદા 8
દેવભૂમિ દ્વારકા 4
નવસારી 4
જૂનાગઢ 27
પોરબંદર 2
સુરેન્દ્રનગર 16
મોરબી 15
તાપી 12
અમરેલી 17