કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું કે કોવિશિલ્ડ રસીની બીજી માત્રા માટે લેવાયેલ અપોઈન્ટમેન્ટ માન્ય રહેશે અને તેને કો-વિન પોર્ટલ પર રદ કરવામાં આવશે નહીં. મંત્રાલયે કહ્યું કે, કો-વિન પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે, પરિણામે પ્રથમ ડોઝ લીધા પછી 84 દિવસથી ઓછા સમયમાં ઓનલાઇન અપોઈન્ટમેન્ટ મેળવી શકશે નહીં. 13 મેના રોજ, કેન્દ્રએ કોવિશિલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ના સમય ગાળામાં તફાવત વધારીને 12-16 અઠવાડિયા કરી દીધો હતો.
મંત્રાલયે કહ્યું, ‘ભારત સરકારે આ ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી દીધી છે. કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવા માટે 12 – 16 અઠવાડિયાના અંતરાલને દર્શાવવા માટે કો-વિન પોર્ટલમાં જરૂરી ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું, ‘મીડિયામાં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છેકે, આ ફેરફાર પહેલાથી જ કેટલાક લોકોએ બીજા ડોઝ માટે૮૪ દિવસથી ઓછા સમય માટે અપોઈન્ટમેન્ટ લીધી છે અને તેમને બીજો ડોઝ લીધા વિના રસીકરણ કેન્દ્રોમાંથી પાછા મોકલવામાં આવી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું, ‘લાભાર્થીઓ કે જેમણે બીજી માત્રા માટે પહેલાથી અપોઈન્ટમેન્ટ લીધી છે તે માન્ય રહેશે. ઉપરાંત, લાભકર્તાઓને બીજા ડોઝ માટે પ્રથમ ડોઝ લેવાની તારીખ કરતાં 84 દિવસ પછીની સલાહ આપવામાં આવે છે. નોંધનીય છે કે હાલમાં ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, સીરમ સંસ્થાના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કોવાક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.