આઇપીએલ ફાઇનલ/ ત્રણ દેશના ક્રિકેટ બોર્ડના પ્રમુખ IPL ફાઈનલ જોવા અમદાવાદ આવશે, એશિયા કપ અંગે થશે નિર્ણય

ખાસ વાત એ છે કે  પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીનું નામ ગાયબ છે. પીસીબી એશિયા કપની યજમાની કરવા આતુર છે.

Top Stories Sports
આઈપીએલની ફાઈનલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે ગુરુવારે જણાવ્યું હતું કે IPL બાદ  એશિયા કપ 2023ના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત એશિયા કંપની યજમાની અંગેનો મામલો હજુ ઉકેલાયો નથી અને  આમાં હવે પાકિસ્તાન ટુર્નામેન્ટની યજમાની કરવા ઈચ્છે છે, ત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) હાલ નવા યજમાનની શોધમાં છે. વાસ્તવમાં, ACCના પ્રમુખ જય શાહ છે અને તેમને  ગયા વર્ષે જ કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. તેમણે કહ્યું હતું કે તે તટસ્થ દેશમાં થઈ શકે છે. હવે આ મામલે જય શાહે એક નવું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું છે કે એશિયા કપને લઈને અંતિમ નિર્ણય આઈપીએલ 2023ની ફાઈનલ બાદ લેવામાં આવશે.

જય શાહે કહ્યું, “બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સંબંધિત પ્રમુખો 28 મેના રોજ અમદાવાદ આવશે. આ બધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ટાટા આઈપીએલ 2023ની ફાઈનલની શોભા વધારશે. અમે તેમની સાથે એશિયા કપ 2023ને લઈને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા માટે ચર્ચા કરીશું. અને રસપ્રદ વાત એ છે કે તેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીનું નામ નથી. એટલે કે તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. અગાઉ, શ્રીલંકા ક્રિકેટ (SLC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ વર્ષની એશિયા કપ ટુર્નામેન્ટને પાકિસ્તાનની બહાર ખસેડવામાં BCCIને ટેકો આપ્યો હતો.

download ત્રણ દેશના ક્રિકેટ બોર્ડના પ્રમુખ IPL ફાઈનલ જોવા અમદાવાદ આવશે, એશિયા કપ અંગે થશે નિર્ણય

નજમ સેઠી પોતાના દેશમાં એશિયા કપ કરાવવા માટે ઉત્સુક છે. પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે અને તેણે હાઇબ્રિડ મોડલ પણ ઓફર કર્યું હતું. ‘હાઇબ્રિડ મોડલ’ પર ટુર્નામેન્ટનું આયોજન કરવાના PCBના પ્રસ્તાવને સભ્ય દેશોએ ફગાવી દીધો હતો. આ મોડલમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન પોતાની તમામ મેચ પોતાના દેશમાં રમશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા તેની મેચ UAE, દુબઈ, ઓમાન અથવા શ્રીલંકામાં રમી શકે છે.

ACCનું કહેવું છે કે સપ્ટેમ્બર મહિનામાં UAEમાં ભારે ગરમીને કારણે ખેલાડીઓને ઈજા થવાની ભીતિ રહેશે. આવી સ્થિતિમાં શ્રીલંકા છ દેશોની ટૂર્નામેન્ટની યજમાનીની રેસમાં સૌથી આગળ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ઘણી વખત ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો પણ બહિષ્કાર કરશે.

આ સિવાય પીસીબીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે બીસીસીઆઈ પાકિસ્તાન વગર એશિયા કપની તર્જ પર અન્ય એશિયન દેશો સાથે ટૂર્નામેન્ટનું આયોજન કરી રહી છે. જોકે, બીસીસીઆઈએ આ વાતને નકારી કાઢી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નજમ સેઠીનું સ્ટેન્ડ હવે સ્પષ્ટ છે કે જો પાકિસ્તાનમાં એશિયા કપની મેચો નહીં થાય તો પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં નહીં રમે.

 

આ પણ વાંચોઃ આગ/ ઓસ્ટ્રેલિયામાં ભીષણ આગઃ સાત માળનું આખું બિલ્ડિંગ ધસી શકે

આ પણ વાંચોઃ ધો. 10નું પરિણામ/ સુરતી લાલા હવે ફક્ત જમવામાં જ નહી ભણવામાં પણ અવ્વલ

આ પણ વાંચોઃ બજરંગ દળ-ધ કેરળ સ્ટોરી/ હવે બજરંગ દળ ધ કેરલ સ્ટોરીની સામે મેદાનમાં ઉતર્યુ