આપકી અદાલત ફેઇમ, જાણીતા ટીવી પત્રકાર અને દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશનનાં પ્રમુખ રજત શર્મા દ્વારા દિલ્હીનાં સ્ટેડિમને અરૂણ જેટલી સ્ટેડિયમ નામ આપ્યા પછી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ટેડિયમનું નામ તે માણસના નામ પરથી હોવું વધુ સારું કહેવાઇ, જેને તેનાં અધ્યક્ષપદ હેઠળ સ્ટેડિયમ પુન:નિર્માણ કરાવ્યું હતું.
અરૂણ જેટલીએ ભારતને ગર્વ આપી શકે તેવા, વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, આશિષ નેહરા, પંત અને બીજા ઘણા ખેલાડીઓ અનેક પ્રકારે મદદ કરી છે.
ડીડીસીએ અધ્યક્ષ રજત શર્મા તરફથી એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સ્ટેડિયમનું નામ “અરૂણ જેટલી સ્ટેડિયમ” રાખવામાં આવ્યું છે, પરંતુ ગ્રાઉન્ડને તો હજુ પણ “ફિરોઝ શાહ કોટલા” ગ્રાઉન્ડ જ કહેવામાં આવશે.
આપને જણાવી દઇએ કે ક્રિકેટર્ન પોલિટિશ્યન અને હાલનાં દિલ્હી ભાજપનાં સાંસદ ગૌતમ ગંભીર દ્વારા અરૂણ જેટલીનાં સ્વર્ગવાસ પછી તરંતમાં જ દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશનનાં પ્રમુખને લેખીતમાં દિલ્હીનાં ફિરોઝ શાહ કોટલા મેદાન પર આવેલા સ્ટેડિયમનું નામ અરુણ જેટલી સ્ટેડિયમ આપવા માટે ભલામણ સાથે માંગણી કરવામાં આવી હતી.
.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.