અમદાવાદ,
જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમે છબીલ પટેલના ફાર્મહાઉસ પરથી વધુ બે લોકોની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે અબસાડાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા 8 જાન્યુઆરીના ચાલુ ટ્રેનમાં ગોળી મારીને કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો છે. જયંતી ભાનુશાળીની હત્યા કરનારા શાર્પ શૂટરની તસવીર સૌ પ્રથમ વખત બહાર આવી હતી.
આ બંને હત્યારા ભનુશાળીની હત્યા કર્યા બાદ સામખિયાળી સ્ટેશનથી થોડા પહેલા ટ્રેનની ચેઈન પુલ કરીને નીચે ઉતરી ગયા હતા અને રાધનપુર હાઈવે પર થઈને તેમના સાગરિતોની મદદ વડે મહારાષ્ટ્ર ભાગી છૂટ્યા હતા.
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શંકાસ્પદ શાર્પ શૂટર CCTVમાં કેદ થયો હતો. આ શાર્પ શૂટર હજુ સુધી પોલીસ પકડથી દુર હતો. પરંતુ તે સામખિયાળી ટોલટેક્ષના CCTV માં કેદ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરી બંને શૂટરો ટ્રેનમાંથી ભાગી ગયા હતા. .જેમાં CID એ ઘટસ્ફોટ કર્યો હતો. .આ બંને આરોપીઓની છબાલ પટેલના ફાર્મહાઉસ પરથી ધરપકડ કરી હતી. જો કે આ મામલે છબીલ પટેલ અને મનીષા ગૌસ્વામી ઉપરાંત શાર્પ શૂટરની પણ સંડોવણી હોવાની વિગતો મળી હતી.
ઉલ્લેખનીય છે કે, જયંતિ ભાનુશાળીની હત્યા કરવા માટે હત્યારાઓ ભચાઉથી ટ્રેનમાં બેઢા હતા. આ બંનેએ હત્યારાઓ જયંતિ ભાનુશાળી જે કોચમાં બેઠા હતા તેનો દરવાજો ખટખટાવ્યો હતો. જયંતિ ભાનુશાળીએ જેવો દરવાજો ખોલ્યો કે તરત જ બંને આરોપીઓએ બળજબરીપૂર્વક કોચમાં ધસી આવ્યા તે સમયે ભાનુશાળી અને હત્યારા વચ્ચે થોડી મારામારી થઈ હતી અને ત્યાર બાદ હત્યારાઓએ ભાનુશાળીને ગોળીથી ઠાર માર્યા હતા. ફાયરિંગ બાદ હત્યારાઓ ટોલ ટેક્સના વિડીયોમાં દેખાયા હતા.
પોલીસને જયંતિ ભાનુશાળી હત્યા કેસનાં 2 આરોપીઓ પકડવામાં સફળતા મળી હતી. શશિકાંત ઉર્ફે ભીટીયા દાદા કામલે, જય જવાહરનગર, યેરવડા આ આરોપી ઉપર યેરવડા પોલિસ સ્ટેશનમાં 15 ગુના નોંધાયેલા છે, જયારે બીજો આરોપી શેખ અશરફ અનવર, યેરવડા જેના ઉપર યેરવડા પોલિસ સ્ટેશનમાં ગંભીર ગુના નોંધાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાનુશાળીની હત્યા કર્યા બાદ શાર્પ શૂટરના સીસીટીવી ફૂટેજ તેમણે કબ્જે કર્યા છે અને તેના આધારે તેઓ તેની તપાસ કરી રહ્યા છે. જોકે, આ શાર્પ શૂટર સામખિયાળીથી કેવી રીતે ભાગી છૂટ્યા હતા તેની પોલીસ પાસે હજુ કોઈ માહિતી નથી. પોલીસ પાસે માત્ર સીસીટીવી ફૂટેજ જ સામે આવ્યા છે.