દાહોદ,
દાહોદમાં યુવાન દંપતિએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. દેલસર વિસ્તારમાં સરસ્વતીનગર સોસાયટીમાં આ ઘટના બની હતી. અગમ્ય કારણોસર દંપતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂકાવ્યુ.
મૃતક દંપતિના 6 માસ પહેલા જ લગ્ન થયા હતા. બંને દાહોડની બાજુના તણસિયા ગામના રહેવાસી હતા. દાહોદ ભાડે મકાન રાખી અને રહેતા હતા. પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ બંને અભ્યાસ કરતા હતા.
https://www.youtube.com/watch?v=ZvVNMVQSRqM
દાહોદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળેથી દંપતીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. દાહોદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ કેસની હકીકત બહાર લાવવા તરફ આગળની કાર્યવાહી હાથ ધરી છે.