બનાસકાંઠાના ધાનેરા ખાતે ઠાકોર સમાજના યુવકે આત્મહત્યા કરવાનું સામે આવ્યું છે. યુવકની લાશને ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે PM માટે મોકલી આપવામાં આવી હતી. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તે આત્મહત્યા નથી પરંતુ જાણીજોઇને કરવામાં આવેલી હત્યા છે અને જ્યાં સુધી હત્યાનો ગુનો નોધવામાં નહીં આવે ત્યાં સુંધી પરિવાર જનોએ લાશ સ્વીકારવા થી ઇનકાર કર્યો હતો.
બનાસકાંઠામાં ઠાકોર સમાજના યુવાનના આપઘાતનો મામલે મૃતદેહને હોસ્પિટલમાં મૂકીને જવાની ચીમકી આપી હતી. અને પરિવારજનો ધાનેરા રેફરલ હોસ્પીટલમાંમાં મૃતદેહ મૂકીને રવાના થયા હતા. અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ મૃતદેહ સ્વીકારાશે તેમ જણાવ્યું હતું. સમાજના આગેવાનોએ સમજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. તો પોલીસે તાપસની ખાતરી આપી છતાં પરિવારજનો મૃતદેહ મુકીને રવાના થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.