ધોરાજીમાં ત્રણ દરવાજા પાસે આવેલ શાકમાર્કેટના વેપારીઓ ગ્રાહકોને તોલમાપમાં છેતરતા હોવાથી અધિકારી દ્રારા તપાસ હાથધરવામાં આવી હતી. તપાસ કરતા શાકભાજી વેંચવા વાળાઓના તોલમાપ ગેરકાયદેસર મળી આવ્યા હતા. અધિકારી દ્રારા વેપારીઓને તેમના તોલમાપ પ્રમાણિત કરવા માટે ૧૫ દિવસની મુદત આપવામા આવી છે. તેમજ તોલમાપ અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા કોઈપણ વેપારીઓ ઝડપાયા તો તેમની પાસેથી દંડની વસુલાત કરવામા આવશે.
ધોરાજીમાં વેપારીઓ ગ્રાહકોને લૂંટતા હોવાની બાબત સામે આવતા ગ્રાહકોએ તોલમાપ અધિકારીને લોક ફરિયાદ કરેલી હતી. જેના લીધે આજે બપોરે ધોરાજીના ત્રણ દરવાજા પાસે આવેલ શાકમાર્કેટમાં તથા વેપારીઓની દુકાનમાં પોલીસ સ્ટાફ સાથે તોલમાપ અધિકારીએ તપાસ કરેલી હતી જેમાં તપાસ કરતા શાકભાજી વેંચવા વાળાઓના તોલમાપ ગેરકાયદેસર જણાયા હતા.
જેને લીધે તોલમાપ અધિકારીએ બધા શાકભાજીના વેપારીઓને તેમના તોલમાપ પ્રમાણિત કરવા માટે ૧૫ દિવસની મુદત આપી છે. તેમજ તોલમાપ અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા કોઈપણ વેપારીઓ ઝડપાયા તો તેમની પાસેથી દંડ વસુલવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.