ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ચહેરા પર થતી ફોલ્લીઓ અને ગરમીથી રાહત મેળવવા માટે લોકો ખાસ કરીને ગુલાબજળની સાથે મુલ્તાની માટીનો ઉપયોગ કરતા જોવામળે છે. આ સિવાય જેમની સ્કીન ઓઈલી હોય છે તેઓ પણ ગરમીની સીઝનમાં મુલ્તાની માટીનો ઉપયોગ કરે છે.
લોકો સ્કીનને ગ્લોઈંગ બનાવવા અને ફેસ પર નિખાર લાવવા માટે પણ મુલ્તાની માટીનો ઉપયોગ કરે છે. પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે મુલ્તાની માટીનો ઉપયોગ નુકસાનકારક પણ હોઈ શકે છે.
સ્કીન સંબંધી તકલીફોમાં મુલ્તાની માટીનો ઉપયોગ કરવાનું કારગર માનવામાં આવ્યું છે. લોકો સ્કીનને ગ્લોઈંગ બનાવવા અને ફેસ પર નિખાર લાવવા માટે મુલ્તાની માટીનો લેપ ફેસ પર લગાવી લે છે. કેટલાક લોકો આ માટે મુલ્તાની માટીનો લેપ લગાવવાનું નુકસાનદાયી બની શકે છે. તો જાણો શા માટે અને કોણે આ મુલ્તાની માટીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
જો તમારી સ્કીન સંવેદનશીલ છે તો તમારે મુલ્તાની માટીનો ઉપયોગ ઓછો કરવો. તેના વધારે ઉપયોગથી ફેસ પર દાણા થાય છે અને સ્કીન ડલ થઈ જાય છે.
જો તમને શરદી અને ખાંસીની ફરિયાદ છે તો તમે મુલ્તાની માટી ન લગાવો. મુલ્તાની માટી ઠંડી માનવામાં આવે છે અને તેના ઉપયોગથી ખાંસી અને શરદીની સમસ્યા વધે છે.