અમદાવાદઃ ઇફકોની ચૂંટણીમાં દિલીપ સંઘાણીનો દબદબો યથાવત્ રહ્યો છે. તેઓ ફરીથી ઇફ્કોના ચેરમેન બન્યા છે. તેઓ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. તેઓ સતત બીજી વખત બિનહરીફ ચૂંટાયા છે. કુલ 21 ડિરેક્ટરોએ તેમની તરફેણમાં મતદાન કર્યુ હતુ.
દિલીપ સંઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે તો સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે સહકારી ક્ષેત્રને મજબૂત કરવા અને સહકાર પ્રધાન અમિત શાહના હાથ મજબૂત કરવા પ્રયત્નશીલ છે. સહકારી ક્ષેત્ર મજબૂત થાય તેના માટે અમે કામ કરવા તત્પર છીએ.
આ ઉપરાંત દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનું ઇલુ-ઇલુ ચાલતુ નથી. સીઆર પાટીલે આવું શા માટે કહ્યુ તે તો તમારે તેમને જ પૂછવું જોઈએ. ભાજપના કેટલાય જૂના કાર્યકરો છે છતાં તેમના પર કોંગ્રેસના કાર્યકરો બેસાડવામાં આવ્યા છે. તો પછી ઇલુ ઇલુ કોને કહેવાય તે કાર્યકર્તાઓ નક્કી કરશે. ભાજપમાં ઇલુ-ઇલુ એને કહેવાય છે જે સવારે કોંગ્રેસમાં હોય છે અને બપોરે ભાજપમાં આવે છે અને તેને સીધુ પદ આપી દેવાય છે.