ગુજરાતમાં રોગચાળાએ માજા મુકી છે અને ખાસ કરીને ડેન્ગ્યુ જેવા મચ્છરોથી થતા રોગને કારણે હાહાકાર જોવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી આજે વડોદરામાં ડેન્ગ્યુએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ડેન્ગ્યુના કારણે વડોદરાનાં સુભાનપુરા સમતા વિસ્તારમાં રહેતા 59 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. વડોદરામાં ડેન્ગ્યુથી ત્રણ દિવસમાં ત્રણ લોકનાં મોત થયા છે.
ડેન્ગ્યુના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયેલો જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે પાછલા બે દિવસમાં અગાઉ પણ બે યુવકોનાં ડેન્ગ્યુનાં કારણે જ મોત નિપજ્યા હતા. વડોદરામાં એક તરફ રોગાતંકએ હાહકાર મચાવ્યો છે અને લોકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે વડોદરા મહા નગરપાલિકા ડેન્ગ્યુને નાથવામાં સદંતર અને સતત નિષ્ફળ જણાઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.