છોટાઉદેપુર જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી મા ખુબ મોટો ઘટાડો : આજે ફક્ત 8 નવા કોરોના પોઝિટિવ દર્દી સામે 20 ને ડિસ્ચાર્જ કરાયા
છોટાઉદેપુર જીલ્લામા છેલ્લા બે સપ્તાહ દરમિયાન કોરોના દર્દીઓમા ખુબ મોટો ઘટાડો આવ્યો છે જીલ્લામા આજે ફક્ત 8 નવા કોરોના પોઝિટિવ દર્દી આવ્યા છે તેની સામે 20 ને સારવાર બાદ ડીસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધી મા કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ ની વાત કરીએ તો જીલ્લામા 2579 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે જીલ્લામા અત્યાર સુધી તાલુકાવાર કોરોના પોઝિટિવ દર્દીના આંકડા છોટાઉદેપુર- 750 , પાવીજેતપુર- 354 , બોડેલી-694 , સંખેડા -280 ,કવાંટ- 201 , નસવાડી- 300 ,અત્યાર સુધી 2443 કોરોના દર્દી ને ડીસ્ચાર્જ કરાયા હાલ ફક્ત 100 સારવાર હેઠળ જીલ્લા અત્યાર સુધી કુલ 12 ના કોરોના થી મોત જયારે 24 ના અન્ય રોગો થી મૃત્યુ થયા નો સત્તાવાર રીતે નો આંકડો છોટાઉદેપુર જીલ્લા આરોગ્ય ખાતા તરફથી આપવામા આવ્યો છે.
જોકે બિન સત્તા વાર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ખુબ મોટી છે. મૃત્યુનો આંક પણ જે રીતે બતાવવામા આવી રહ્યો છે. જેની સામે સરકાર આંકડા છુપાવી રહ્યાના આરોપ પણ કોંગ્રેસ ના રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવાએ લગાવ્યા છે. તો પાવીજેતપુર ના ધારાસભ્ય સુખરામભાઇ રાઠવાએ અંતરીયાળ વિસ્તારોમા થતા કોરોના ના શંકાસ્પદ મોત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને તપાસ કરવા પત્ર પણ લખ્યો છે.
હાલ ની પરિસ્થિતિ જોતા કોરોના ના કેસો મા ઘટાડો આવતા વહિવટી તંત્રે થોડી રાહત અનુભવી છે પરંતુ કોરોના ના કેસોમા ઘટાડો થયો છે પરંતુ હજુ પણ સાવચેતી જરુરી છે જો લોકો નિષ્ક્રીય થઈ જશે તો કોરોના ની ત્રીજી લહેર થી બચી શકાશે નહી.