Political/ ઇમરાન ખેડાવાલાના રાજીનામામાં નાટકીય વળાંક, પરેશ ધાનાણીએ કહ્યું …

ઇમરાન ખેડાવાલાના રાજીનામામાં નાટકીય વળાંક, પરેશ ધાનાણીએ કહ્યું …

Top Stories Gujarat Others
corona 35 ઇમરાન ખેડાવાલાના રાજીનામામાં નાટકીય વળાંક, પરેશ ધાનાણીએ કહ્યું ...

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઠેર ઠેર ટીકીટ માટે કોંગ્રેસીઓનો વિરોધ આંખે ઉડીને વળગે એવો છે. ધારાસભ્ય ઇમરાન ખેડવાલા એ ટીકીટ વહેચણી મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અને રાજીનામું ધરી દીધું હતું. ઇમરાન ખેડાવાલા રાજીનામા પ્રકરણમાં ફરી પાછો વળાંક આવ્યો છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમિત ચાવડાને પોતાનું રાજીનામું આપ્યું હતું. અને આ રાજીનામાનો વિપક્ષ નેતા પરેશ ધનાણી એ અસ્વીકાર કર્યો છે.

અમદાવાદ મનપામાં બહેરામપુરામાં ટિકિટ વહેચણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
આ અંગે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યું કે, ખેડાવાલાએ કાર્યકરોની લાગણીમાં આવી જઈને નારાજગી વ્યક્ત કરી છે. ખેડાવાલાના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવે છે.

વડોદરા / MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ

threat / ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ 

RESIGNATION / ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ