ચીનીની વધુ એક મોબાઈલ કંપની Oppo Mobiles પર ટેક્સ ચોરીના આરોપો લાગી રહ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ Oppo India દ્વારા રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરીનો કેસ શોધી કાઢ્યો છે. Oppo India મોબાઈલ હેન્ડસેટના ઉત્પાદન, એસેમ્બલીંગ, જથ્થાબંધ વેપાર અને મોબાઈલ ફોન અને તેની એસેસરીઝના વિતરણના વ્યવસાયમાં રોકાયેલ છે. Oppo India દેશમાં Oppo, OnePlus અને Realme સહિત વિવિધ બ્રાન્ડ નામો હેઠળ મોબાઈલ ફોનનું વેચાણ કરે છે.તપાસ બાદ Oppo Indiaને રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટી ભરવાની નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં Oppo India, તેના કર્મચારીઓ અને Oppo ચીન પર દંડ લાદવાનો પણ પ્રસ્તાવ છે.
વાંધાજનક દસ્તાવેજો મળ્યા
નાણા મંત્રાલયે કહ્યું કે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ Oppo India તરીકે ઓળખાતા Oppo મોબાઈલ્સ સામે તપાસ કરી રહી છે, જેમાં રૂ. 4389 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરી શોધી કાઢવામાં આવી છે. તપાસ દરમિયાન ડીઆરઆઈએ Oppo Indiaની ઓફિસો અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ લોકોના ઘરની તપાસ કરી. જેમાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.
આ દસ્તાવેજો દર્શાવે છે કે Oppo Indiaએ મોબાઈલ ફોનના ઉત્પાદન સાથે સંબંધિત કેટલીક વસ્તુઓની આયાત અંગે જાણી જોઈને ખોટી ઘોષણાઓ આપી છે. આ ખોટા ઘોષણાને કારણે Oppo Indiaએ 2,981 કરોડ રૂપિયાની ટેક્સ છૂટનો ખોટો દાવો કર્યો છે. તપાસ દરમિયાન, ડીઆરઆઈએ Oppo Indiaના વરિષ્ઠ મેનેજમેન્ટ કર્મચારીઓ તેમજ કંપનીના સ્થાનિક સપ્લાયરોની પૂછપરછ કરી છે, જેમણે કસ્ટમ અધિકારીઓને તેમના નિવેદનમાં આયાત દરમિયાન ખોટી વિગતો આપવાનું સ્વીકાર્યું છે.
ચીન મોકલવામાં આવી રહી હતી રાયલ્ટી
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે Oppo Indiaએ માલિકીની ટેક્નોલોજી, બ્રાન્ડ્સ, આઈપીઆર લાઈસન્સના ઉપયોગના બદલામાં ચીન સ્થિત બહુરાષ્ટ્રીય કંપનીઓને ‘રોયલ્ટી’ અને લાઇસન્સ ફીની ચુકવણીની જોગવાઈઓ કરી હતી. Oppo India દ્વારા ચૂકવવામાં આવેલી રોયલ્ટી અને લાઇસન્સ ફી આયાતી માલના ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં ઉમેરવામાં આવી ન હતી, જે કસ્ટમ્સ એક્ટનું ઉલ્લંઘન છે. આમ Oppo Indiaએ રૂ. 1,408 કરોડની કસ્ટમ ડ્યુટીની બચત કરી છે. Oppo Indiaએ તેના ભાગ પર ઓછી કસ્ટમ ડ્યુટી ચૂકવવાના બદલામાં રૂ. 450 કરોડની વચગાળાની ચુકવણી કરી છે.
આ પણ વાંચો:BJP સાંસદો 16 જુલાઇએ ડિનર માટે મળશે, બીજા દિવસે NDAના સહયોગીઓ સાથે પણ થશે બેઠક
આ પણ વાંચો: અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ 15 જુલાઈએ સુનાવણી કરશે, નોટિફિકેશન રદ કરવાની છે માંગ
આ પણ વાંચો:મહારાષ્ટ્ર, ગુજરાત અને MPમાં પૂર-વરસાદ, અત્યાર સુધીમાં 218 લોકોના મોત