સુરત ,
સુરતના ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર પોતાની ટિકીટ રદ્દ થતા મુસાફરોએ ધરણા યોજયા હતા.મુસાફરોએ સાડા ત્રણ મહીના પહેલા દિલ્હી માટે સુરતથી સ્પાઇસ જેટની ફ્લાઇટની ટિકીટો બુક કરાવી હતી.શુક્રવારે વહેલી સવારે જ્યારે મુસાફરો ફ્લાઇટ પકડવા એરપોર્ટ ઉપર પહોચ્યા ત્યારે એરપોર્ટ સત્તાધીશોએ તેમને જણાવ્યુ હતુ કે તેમની ટિકીટો 20 દિવસ પહેલા જ રદ્દ કરી દેવામાં આવી છે.
આમ અચાનક ટિકીટો રદ્દ કરી દેવાતા મુસાફરો રઝડી પડ્યા હતા અને તેઓમાં રોષ વ્યાપ્યો હતો.ફ્લાઇટ રદ્દ થતા મુસાફરો અટવાઇ ગયા હતા.આ મામલે સત્તાધીશોને સવાલ કરતા કોઇ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ના હતો.તેથી યાત્રીઓ ગુસ્સે ભરાયા હતા અને એરપોર્ટ ખાતે ધરણાં પર બેસી ગયા હતા.