સમગ્ર સૌરાષ્ટમાં અત્ર, તત્ર સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. અને જ્યારે મેઘો મન મુકી વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ધોધમાર વરસાદનાં પગલે આસપાસના ચાર ગામ સંપર્કવિહોણા બન્યા છે. કુવાડવા, રૂપાવટી, વસુંધરા, જેપુર ગામોને વરસાદના કારણે માઠી અસર પહોંચી છે. થોડા જ વરસાદમાં જીવાપર ગામના રસ્તામાં ભંગાણ સર્જાયું છે. આ રસ્તા પર આઠ મહિના પહેલા જ સમારકામ કરાયું હતું. ત્યારે થોડાક વરસાદમાં જ રસ્તો બિસ્માર બનતા તંત્રની ઘોર બેદરકારી સામે આવતા ગ્રામજનો રોષે ભરાયા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.