અંધશ્રદ્ધા/ ભગવાન શિવને ચડાવવા માટે યુવકે છરી વડે કાપી જીભ પછી થયું આવું…

એક વ્યક્તિએ કથિત રીતે અંધવિશ્વાસના કારણે પોતાની જીભ કાપી નાખી.

India Trending
YouTube Thumbnail 2024 05 08T152545.658 ભગવાન શિવને ચડાવવા માટે યુવકે છરી વડે કાપી જીભ પછી થયું આવું...

Chhattisgarh News: છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ કથિત રીતે અંધવિશ્વાસના કારણે પોતાની જીભ કાપી નાખી. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 33 વર્ષીય રાજેશ્વર નિષાદે જિલ્લાના અંજોરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના થાનૌડ ગામમાં જીભ કાપી હતી. નિષાદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

અંજોરા ચોકીના પ્રભારી રામ નારાયણ ધ્રુવે જણાવ્યું કે ગામલોકોએ માહિતી આપી છે કે નિષાદ આજે સવારે લગભગ આઠ વાગે ગામના તળાવ પર પહોંચ્યો હતો અને એક પથ્થર પાસે બેસીને કેટલાક મંત્રોનો પાઠ કરવા લાગ્યો હતો. બાદમાં તેણે અચાનક જ છરી વડે તેની જીભ કાપી નાખી અને તેને પથ્થરની નજીક રાખી દીધી.

ધ્રુવે જણાવ્યું કે જ્યારે ગામલોકોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ સરકારી એમ્બ્યુલન્સ સેવા અને પોલીસને જાણ કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે નિષાદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નિષાદે અંધવિશ્વાસના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શિવને પોતાની જીભ અર્પણ કરવા માંગતો હતો. તેણે કહ્યું કે નિષાદને ત્રણ બાળકો છે અને તેની પત્ની મૂંગી છે.

પોલીસ બાળકો અને ગ્રામજનોની પૂછપરછ કરી રહી છે. પોલીસે નિષાદે વાપરેલ છરી પણ કબજે કરી લીધી છે. ધ્રુવે કહ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર, જયરામ રમેશે કહ્યું- ટિપ્પણી અત્યંત ખોટી અને અસ્વીકાર્ય

આ પણ વાંચો:દિલ્હી હાઈકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી, ફટકાર્યો એક લાખનો દંડ

આ પણ વાંચો:કોર્ટમાં 13 મહિનાના બાળકને જમીન પર ફેંકી દીધો, જજ રહી ગયા સ્તબ્ધ

આ પણ વાંચો:બિહારમાં દીકરીની હત્યા કરી બાંધ્ય હાથ-પગ,બોરીમાં મળી લાશ