કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી સુપ્રિમો શરદ પવાર સહિત 12 પક્ષોના નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને અટકાવી મફત વ્યાપક કોવિડ રસીકરણની માંગ કરી છે. તેમણે રસી સંકટને સમાપ્ત કરવા તરફનાં પગલાં ભરવા જણાવ્યું હતું. બુધવારે, વિરોધી પક્ષો દ્વારા લખાયેલા એક પત્રમાં, એમ કહેવામાં આવ્યું હતું કે, વૈશ્વિક અને સ્થાનિક તમામ ઉપલબ્ધ સ્રોતોથી રસી ખરીદો. સાથોસાથ ઘરેલું રસી ઉત્પાદનના ઉત્પાદનને વેગ આપવા ફરજિયાત લાઇસન્સની પદ્ધતિને દૂર કરો.
રસી માટે 35 હજાર કરોડનો ઉપયોગ થવો જોઇએ
વિરોધી પક્ષોના આ પત્રમાં પીએમ મોદીને કહેવામાં આવ્યું છેકે, “બજેટમાં 35,000 કરોડની બજેટ ફાળવણીનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા રસીઓ માટે થવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા મફત, સાર્વત્રિક સમૂહ રસીકરણ અભિયાન પણ તરત જ શરૂ થવું જોઈએ. “
સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ પર સરકાર રોક લગાવે
વિપક્ષી પાર્ટીઓએ પત્રમાં કહ્યું છે કે સેન્ટ્રલ વિસ્તાનું બાંધકામ બંધ થવું જોઈએ. તેના બદલે, ઓક્સિજન અને રસીની ખરીદી માટે નાણાં ફાળવવા જોઈએ. પત્રમાં, વિરોધી પક્ષોએ વધુમાં જણાવ્યું છે કે રોગચાળાથી લાખો ‘અન્નદાતાને ‘ બચાવવા, નવા કૃષિ કાયદાને રદ કરો. તમામ બેરોજગાર લોકોને મહિને છ હજાર રૂપિયા આપો, જરૂરિયાતમંદોને મફત અનાજ આપો.
પીએમ મોદીને પત્ર લખનારા વિપક્ષી પક્ષોના નેતાઓમાં સોનિયા ગાંધી, એચડી દેવે ગૌડા, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી, એમ કે સ્ટાલિન, હેમંત સોરેન, ફારૂક અબ્દુલ્લા, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડી.રાજા અને સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે.