- દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા
- ભૂકંપનું મધ્યબિંદુ જટલાનમાં
- ભૂકંપની તીવ્રતા 6.1 રિક્ટર સ્કેલ
- આંદોમાન-નિકોબારમાં 2 કલાકમાં 9 આંચકા
- પાકમાં 19 લોકોનાં મોત, 450 ઘાયલ
- PoKમાં 5 લોકોનાં મોત, 50 ઘાયલ
આજે સાંજે 4.35 વાગ્યે પીઓકેમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં રિક્ટર સ્કેલ પર 8.8 ની તીવ્રતા નોંધાઈ હતી. આટલું ભારે ભૂંકપથી આખું ઉત્તર ભારત પણ કંપાવી ગયું. ભૂકંપનું કેન્દ્રબિંદુ મીરપુરની નજીક આવેલા પીઓકેના જટલાન વિસ્તારમાં જણાવવામાં આવી રહ્યું છે.
પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપને કારણે પીઓકે અને પાકિસ્તાન બંનેમાં વિનાશ સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપને કારણે પાકિસ્તાનમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 300 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, પીઓકેમાં 5 લોકોના મોત અને 50 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ત્યાંથી રસ્તાઓ ફાટેલા જોવામાં આવી રહ્યા છે. અને વાહનો રસ્તા પર પલટી ગયા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે કહ્યું છે કે ભૂકંપને કારણે રાજ્યમાં હાલમાં કોઈ નુકસાનની નોંધાયું નથી. આંચકા દિલ્હી, એનસીઆરમાં પણ અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો તેમની ઓફિસો અને મકાનોની બહાર નીકળી ગયા હતા. દિલ્હી તેમજ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ભૂકંપથી ખરાબ રીતે ડરી ગયા છે.
ભૂકંપ પીઓકે જટલાનમાં હતો
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 માપવામાં આવી છે, તેનું કેન્દ્ર પીઓકેના જટલાન નજીક જણાવવામાં આવી રહ્યું છે. આ સ્થાન લાહોરથી લગભગ 173 કિમી દૂર હતું. હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ વિવિધ સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
આપને જણાવી દઇએ કે પૂર્વે 2005 માં જમ્મુ-કાશ્મીરમાં પણ આ પ્રકારનો ભૂકંપ આવ્યો હતો. કાશ્મીરમાં ઘણું નુકસાન થયું હતું. તે સમયે 7.6 સ્કેલનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકોના મોત નીપજ્યા હતા. તો સાથે સાથે તે પણ ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી હિમાલયન બેલ્ટમાં વારંવાર ભૂંકપન અનુભવાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.