દેવઉઠી એકાદશી કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે માતા તુલસીના વિવાહ પણ થાય છે. આ વર્ષે એકાદશી બે દિવસની છે, તુલસી વિવાહ અને દેવઉઠી એકાદશીની તિથિ અંગે મૂંઝવણ છે. આ વખતે એકાદશી તિથિ 14 નવેમ્બરે સવારે 5:48 વાગ્યે શરૂ થશે, જેના કારણે એકાદશી વ્રત 14 નવેમ્બરે રાખવામાં આવશે. એકાદશી તિથિ સૂર્યોદય પહેલા પડી જાય તો તે જ દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ અને દેવઉઠી એકાદશી 14 નવેમ્બર, રવિવારના રોજ છે. 15 નવેમ્બર સોમવારના રોજ એકાદશી વ્રત તોડવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રવિવારે તુલસી તોડવાની મનાઈ છે, પરંતુ પૂજા કરી શકાય છે. કારતક માસમાં દેવઉઠી એકાદશીના દિવસે શાલિગ્રામજી અને તુલસીના છોડના વિવાહ કરાવવાની પરંપરા છે. વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામજી સાથે તુલસીજીના લગ્ન કેવી રીતે થાય છે, ચાલો જાણીએ લગ્નની સરળ રીત.
- જેમને કન્યાનું દાન કરવું હોય તે વ્રત રાખે છે અને શાલિગ્રામની બાજુમાં પુરૂષ વર્ગ ભેગો થાય છે. એટલે કે, કન્યા પક્ષ અને વર પક્ષ અલગ પડે છે અને એક જ જગ્યાએ લગ્નની વિધિ કરે છે. ઘણા ઘરોમાં ગોધુલી વેળા પર લગ્ન થાય છે અથવા જો અભિજિત મુહૂર્ત હોય તો ત્યારે પણ લગ્ન પણ થઈ શકે છે.
- જે ઘરોમાં તુલસી વિવાહ થાય છે, તેઓ સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થઈને લગ્ન અને પૂજાની તૈયારી કરે છે.
- આ પછી, આંગણામાં શણગારવામાં આવે છે અને બાજોટ અને કળશની સ્થાપના કરવામાં આવે છે. જો આંગણું ન હોય તો તુલસી વિવાહ મંદિરમાં કે ટેરેસ પર પણ કરી શકાય છે.
- આ પછી, બાજોટ પર શાલિગ્રામ સ્થાપિત કરીને તેને શણગારે છે.
- કળશમાં પાણી ભરો, કળશ પર સાથિયો બનાવો, કળશમાં પાંચ ગોળાકાર કેરીના પાન મૂકો, નારિયેળને કેરીનાં પાન ઉપર મૂકો. કેરીના સ્થાને આસોપાલવના પાન નો પણ ઉપયોગ કરી શકાય છે.
- લાલ કે પીળા કપડા અને ગેરુથી શણગારી તુલસીના છોડને શાલિગ્રામની જમણી બાજુએ રાખો.
- વાસણની આસપાસ રંગોળી અથવા મંડાણ બનાવો અને ઘીનો દીવો કરો.
- આ પછી ગંગાજળમાં ફૂલ ચઢાવીને ‘ઓમ તુલસે નમઃ’ મંત્રનો જાપ કરીને માતા તુલસી અને શાલિગ્રામ પર ગંગાજળનો છંટકાવ કરો.
- હવે માતા તુલસીને રોલી અને શાલિગ્રામને ચંદનનું તિલક કરો.
- હવે શેરડી વડે તુલસી અને શાલિગ્રામની આસપાસ મંડપ બનાવો. મંડપ પર લાલ ચુંદડી મૂકો.
- હવે તુલસી માતાને સુહાસનીનું પ્રતીક કરતી સાડીથી લપેટીને તેને દુલ્હન (કન્યા)ની જેમ શણગારો.
- શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી તેમને પીળા વસ્ત્રો પહેરાવવા.
- હવે તુલસી માતા, શાલિગ્રામને હલ્દી ચઢાવો.
- હવે પૂજાની તમામ સામગ્રી જેમ કે ફૂલ, ફળ વગેરે ચઢાવો.
- હવે માણસે શાલિગ્રામને પોતાના ખોળામાં લઈને તુલસીની 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ.
- આ પછી તુલસી અને શાલિગ્રામને ખીર અને પુરી ચઢાવો.
- લગ્ન દરમિયાન મંગલ ગીત ગાઓ.
- આ પછી બંનેની આરતી કરો અને આ લગ્ન પૂર્ણ થયાની જાહેરાત કરીને પ્રસાદ વહેંચો.
- પ્રસાદનું વિતરણ કર્યા પછી, બધા સભ્યો ભેગા થાય છે અને ભોજન કરે છે.
- તુલસીજીના વિવાહ વિશેષ મંત્રોચ્ચાર સાથે કરવા જોઈએ.