લોકસભાની ચૂંટણીને લઈને વધી રહેલી ઉત્તેજના વચ્ચે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. સરકાર તરફથી નોટિફિકેશન બહાર પાડીને આ જાણકારી આપવામાં આવી છે. હાલમાં જ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અરુણ ગોયલના રાજીનામાની વાત સામે આવી છે. જો કે તેમના રાજીનામાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
સરકારે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023ની કલમ 11 ની કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિ અરુણ ગોયલનું રાજીનામું સ્વીકાર્યું છે.
અરુણ ગોયલના આ પગલા પછી હવે ચૂંટણી પંચમાં બે જગ્યાઓ ખાલી છે. 1985 બેચના IAS અધિકારી અરુણ ગોયલે 21 નવેમ્બર, 2022 ના રોજ ચૂંટણી કમિશનરનો હવાલો સંભાળ્યો હતો. તેઓ ભારે ઉદ્યોગ મંત્રાલયમાં સચિવ પદ પણ સંભાળી ચૂક્યા છે. અરુણ ગોયલ