મુંબઈ
બોલીવુડના સ્ટાર ઈરફાન ખાન રેયર ડિઝીઝ ટ્વીટ્ કર્યા બાદ બોલીવુડના કલાકારો અને ફ્રેન્સ ઈરફાનના સ્વાસ્થ્યને લઈને ખુબ જ ચિંતા કરી રહ્યા છે અને તે લોકો ઈચ્છે છે કે ઈરફાન જલ્દીથી સાજા થઇ જાય અને તેમના સ્વાસ્થ્યને લઈને સારા સમાચાર બધાને આપે. તમને જણાવી દઈએ કે ઈરફાનના હેલ્થ સાથે સંકળાયેલ એક નવી માહિતી ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે આપી છે તેમણે જણાવ્યું હતું કે હાલ ઈરફાન તેની બીમારીના ઇલાજ માટે ઇન્ડિયાની બાહર જવાના છે.
ભૂષણ કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ વાત છે. અમે બધા પાર્થના કરીએ છીએ કે ઈરફાન જલ્દીથી સારા થઇ જાય અને અમે ફરીથી ફિલ્મોમાં કામ કરવા લાગે જયારે ભૂષણ ઈરફાને મળવા ગયા હતા ત્યારે ઈરફાને તેમણે તેમની બીમારી વિશે અને ફિલ્મ બ્લેકમેલના રીલીઝ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે કમનશીબે મારી બીમારીના લીધે હું ફિલ્મની રીલીઝ અને પ્રોમોશનમાં હાજરી નહી આપી શકુ તે વાતનું ઈરફાને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.
થોડા દિવસ પહેલા ઈરફાનની પત્નિએ તેના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મારા પતિ એક યોદ્ધા છે અને તે હંમેશા જીવનની દરેક કઠિન પરિસ્થિતિનો સામનો સરળતા કરે છે અને આવું જ કઈ ફિલ્મના ડાયરેક્ટર શૂજીત સરકારનું પણ કહેવું છે.કે જેથી ઈરફાનના ફ્રેન્સને રાહત મળી શકે છે.
મહત્વનું છે કે ઈરફાન માટે શૂજીત સરકાર જેવા સફળ નિર્માતા એ જણાવ્યું હતું કે ઈરફાન જેવા અભિનેતા કે જેને અમે ભારતમાં હોલીવુડના એકટર કહીએ છીએ અને ઈરફાને દુનિયાના જાણીતા એવા નિર્માતાઓ સાથે કામ કરી ચૂકયા છે અને તેમની બીમારી માટે હું ખુબ જ સંવેદનશીલ છું અને તેમની બીમારી પછી હું તેમણે ત્રણ વાર મળી છું. ઈરફાને મને જણાવ્યું હતું કે તે તેમના ફ્રેન્સના બધા સવાલોના જવાબ એક પ્રેસ સ્ટેટમેન્ટ આપશે.