Not Set/ ચંબલના ડાકુ મલખાન સિંહે આપી અક્ષય કુમારને ધમકી, પૃથ્વીરાજના તથ્યો સાથે ચેડા પડશે મોંધા

મુંબઈ, અક્ષય કુમારની દર વર્ષે 3-4 ફિલ્મો રિલીઝ થાય છે. 2020 માં તેની કઈ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે વિશે તમને જાણવા મળી જ ગયું હશે. અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ 2020 માં દિવાળી પર રિલીઝ થશે. પરંતુ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી અને મુશ્કેલીઓ પહેલા આવી છે. પૃથ્વીરાજ ફિલ્મના અક્ષય કુમારને ઐતિહાસિક […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 13 ચંબલના ડાકુ મલખાન સિંહે આપી અક્ષય કુમારને ધમકી, પૃથ્વીરાજના તથ્યો સાથે ચેડા પડશે મોંધા

મુંબઈ,

અક્ષય કુમારની દર વર્ષે 3-4 ફિલ્મો રિલીઝ થાય છે. 2020 માં તેની કઈ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે વિશે તમને જાણવા મળી જ ગયું હશે. અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ 2020 માં દિવાળી પર રિલીઝ થશે. પરંતુ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી અને મુશ્કેલીઓ પહેલા આવી છે. પૃથ્વીરાજ ફિલ્મના અક્ષય કુમારને ઐતિહાસિક તથ્યો સાથે ચેડા નહીં કરવાની ધમકી ચંબલના ડાકૂ મલખાન સિંહે આપી છે.

Instagram will load in the frontend.

અક્ષય કુમાર રાજા પૃથ્વીરાજ ચૌહાણ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મલખાન સિંહના કહેવા મુજબ, તેમના પૂર્વજ ખેતસિંહ પૃથ્વીરાજ ચૌહાણના દરબારના મુખ્ય લોકોમાંના એક છે. ફિલ્મમાં ખેત સિંહના પાત્રને શામેલ કરવું જોઈએ. મલખાન સિંહે કહ્યું છે કે જો અક્ષય કુમારે તથ્યો સાથે ચેડા કર્યા તો તેને કોર્ટનો દરવાજો ખખડાવો પડશે.

એક અહેવાલ મુજબ, મલખાન સિંહે એક ખાનગી કાર્યક્રમમાં કહ્યું – ફિલ્મ બનાવતા પહેલા અક્ષય કુમારે તેમની સાથે મુલાકાત કરી ઐતિહાસિક તથ્યો વિશે વાત કરવી જોઈએ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાઉસફૂલ 4 અક્ષય કુમારની ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ રહી છે. તે પછી તેની ફિલ્મ ગુડ ન્યૂઝ આવશે. અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી, બચ્ચન પાંડે અને  લક્ષ્મી બોમ્બ આવતા વર્ષે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.