મુંબઇ,
આપણે બધા જાણીએ છીએ કે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ઘણા સમય પહેલા એક-બીજાના ઘણા ક્લોઝ રહી ચુક્યા છે અને એકબીજાને ડેટ પણ કરી ચુક્યા છે. જોકે, હવે બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. જ્યાં દીપિકા ગયા મહિને રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા, ત્યાં જ રણબીર હાલમાં આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે.
થોડા દિવસો પહેલા રણવીર અને દીપિકાએ લગ્ન કર્યા પછી મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું હતું જ્યાં ફિલ્મી જગતના તમમ સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીમાં વરૂણ ધવન, શાહરૂખ ખાન, કેટરીના કૈફ અને મેગાસ્ટાર અમિતભ બચ્ચન જેવા તમામ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા અને નવા કપલને તેમના લગ્નની શુભેચ્છાઓ આપી હતી. અહીં કોઈ મિસિંગ હતું તો તે હતા રણબીર અને આલિયા.
આને લઈને જાણવા મળી રહ્યું હતું કે તેઓ બંને અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં વ્યસ્ત હતા. તેથી તેઓ રિસેપ્શનમાં આવી શક્ય નથી.
જો કે એક ઇન્ટરવ્યુ દરમિયાન જયારે દીપિકાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને જવાબ આપતા કહ્યું કે રિસેપ્શન પછી તેઓના વચ્ચે કોઈ વાત થઇ નથી. તેને જણાવ્યું કે રિસેપ્શન પહેલા તેઓ વચ્ચે વાતચીત થઇ હતી. જો કે દીપિકાએ કહ્યું કે તે જાણે છે કે તે કેવા પ્રકારના વ્યક્તિ છે અને તેના સાથે તેનો કેવો રિલેશન છે. દીપિકાએ પણ કહ્યું કે તેના રિલેશનશિપની સુંદરતા છે. ઘણું બધું ન કહ્યા છતાં પણ ઘણું બધું કહી જાય છે.
એ વાત સ્પષ્ટ છે કે એક્સ પાર્ટનર દીપિકા અને રણબીરની બોન્ડિંગ આજે પણ એકબીજાના સાથે સારી છે.