મુંબઈ
ભારત જયારે આઝાદ થયું હતું તે પહેલા હિન્દી સિનેમાએ ઘણી પ્રગતિ કરી હતી. થિયેટરમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે ફિલ્મોને જોવામાં આવતી હતી. આ સમયમાં એ જાણવું પણ ઘણું રસપ્રદ છે કે, જ્યારે 15 ઓગસ્ટ, 1947 ના રોજ સમગ્ર દેશ સ્વતંત્રતાના ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે તે દિવસે કઈ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી.
સંજોગથી ભારતના આઝાદીના દિવસે શુક્રવાર હતો અને જે ફિલ્મ રિલીઝ થઇ હતી તેનું નામ હતું ‘શહનાઈ‘. આ ફિલ્મ પી એલ. સંતોષી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને કિશોર કુમાર, ઈન્દુમતિ, રાધાકૃષ્ણન અને રેહાનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનું સંગીત સી. રામચંદ્રાએ આપ્યું હતું.
‘શહનાઈ‘ 1947 ની પાંચ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાની એક હતી. આ ફિલ્મની જાહેરાત પણ તે સમયના પ્રમુખ અખબારોમાં આપવામાં આવી હતી. તે એક ફિચર વાર્તા હતી અને આ ફિલ્મમાં 9 ગીતો હતાં.
સ્વતંત્રતાના દિવસે રિલીઝ થયેલી બીજી ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવે તો આ ફિલ્મમાં છે ‘મેરા ગીત‘. જેમાં સુશીલ કુમાર અને નસીમ જુનિયરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.