મુંબઇ,
દિલ્હીની પ્રખ્યાત પોપ સિંગર શિવાની ભાટિયા 29 મી જાન્યુઆરીના રોજ યમુના એક્સપ્રેસવે રોડ પર રોડ અકસ્માતમાં મૃત્યુ પામી હતી. અકસ્માત સમયે શિવાની સાથે હાજર રહેલ તેમના પતિ નિખિલ ભાટિયા પણ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા જેમની હાલત હાલ જોખમની બહાર કહેવામાં આવી રહી છે.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે કે શિવાની અને તેમના પતિ નિખિલ સોમવારે આગરામાં યોજાયેલ એક ક્રયકર્મમાં હાજર રહેવા મ,અતે કારથી રહ્યા રહ્યા હતા.ત્યાર જ સુરીર કોતવાલી વિસ્તાર નજીક આ અકસ્માત થયો. તેમની કાર (DL3C4461) એક અજ્ઞાત વાહનની પાછળ જઈને ટકરાઇ અને ચકનાચૂર થઇ ગઈ.
કહેવમાં આવી રહ્યું છે કે કાર ખૂબ ઝડપી ગતિએ હતી. જેના કારણે કાર અથડાતા જ કારના ભુક્કા બોલાવી ગયા. પોલીસ અને એક્સપ્રેસવેના કર્મચારીઓએ બંનેને કારમાંથી બહાર કાઢ્યા અને તેમને મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં શિવાનીનું સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
બિહારના સીતામઢીમાં જન્મેલી શિવાનીએ સંગીતની દુનિયામાં પ્રોફેશનલ સિંગરના રૂપમાં જગ્યા બનાવી હતી.છેલ્લા કેટલાક વર્ષોથી, તેમના પ્રોફેશનલને લીધે શિવાની દિલ્હીમાં પરિવાર સાથે રહેતા હતા.
શિવાનીના મૃત્યુના સમાચાર સમગ્ર પરિવારમાં શોક માહોલ છવાઈ ગયો છે. અહેવાલો અનુસાર, પરિવારએ શિવાનીનું પોસ્ટમોર્ટમ કરવાનો પણ ઇનકાર કર્યો છે. પોલીસની માહિતી અનુસાર, શિવાનીના પરિવારનો મૃતદેહ તેમને સાથે લઈ ગયા. શિવાનીના પતિ નિખિલે પણ સારવાર માટે દિલ્હી લઇ ગયા છે.