મુંબઇ,
ઘણા દિવસોથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રાખ્યું છે. પહેલા ઈટલીમાં લગ્ન અને લગ્ન પછી રિસેપ્શન, આ જોડી સતત સોશિઅલ મીડિયા પર છવાયેલી છે. હવે આવામાં શુક્રવારે મુંબઇના દાદર વિસ્તારમાં ગણપતિ બાપ્પાના દર્શન માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.
બોલિવૂડના મોસ્ટ રોમેન્ટિક કપલ એટલે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ શુક્રવારે મુંબઇના સિદ્ધિવિનાયક મંદિર ગણપતિ બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં આ ન્યુ કપલે તેમના નવા જીવન માટે કામના કરી હતી.
આપને જાણવી દઈએ કે લગ્ન પછી આ જોડી બે રિસેપ્શન પાર્ટી આપી ચુકી છે. અને રિસેપ્શન તૈયારી કરી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ રિસેપ્શન એક પ્રાઈવેટ રિસેપ્શન હશે. જેમાં મીડિયા અને અન્ય લૂને બોલવામાં આવ્યા નથી. આ ખાસ ફિલ્મની જગતમાં મિત્રો માટે રાખવામાં આવ્યું છે.
દીપવીર સાથે તેમનો પરિવાર પણ બાપ્પાના દર્શન માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.