મુંબઈ
રિશી કપૂરની 87 વર્ષની માતા કૃષ્ણા રાજ કપૂરનું નિધન થયું છે અને તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવશે. પરિવારજનોથી લઈને બોલિવૂડના તમમ સ્ટાર્સ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહેશે. પરંતુ કૃષ્ણા રાજ કપૂરનો પુત્ર રિશી કપૂર તેમને અંતિમ વિદાય આપવા માટે ત્યાં મુંબઈ આવી શકશે નહીં. જણાવી દઈએ કે રિશી કપૂર 29 સપ્ટેમ્બરે તેમની બીમારીઓ ઈલાજ કરવા માટે અમેરિકા ગયા છે. પરંતુ તેમના દીકરા રણબીર કપૂરને મુંબઈ આવવા માટે રવાના કરી દીધા છે.
રિશી કપૂરની બીમારી વિશે હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી..
રિશી કપૂરે 29 સપ્ટેમ્બરે ટ્વીટર દ્રારા જણાવ્યું હતું કે તેઓ ઈલાજ માટે અમેરિકા જઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમને કઈ બીમારી છે. કપૂર પરિવાર સાથે છેલ્લા 70 વર્ષથી જોડાયેલ વ્યક્તિએ જણાવ્યું કે રિશી કપૂરની બીમારીનો ઈલાજ ઇન્ડિયામાં પણ શક્ય નથી.
નિકટના વ્યક્તિએ જણવ્યું કે રિશી કપૂરે મને શુક્રવારે જણવ્યું હતું અને સાથે રિક્વેસ્ટ પણ કરી કે જે બીમારી છે તેને પબ્લિક ન કરવામાં આવે. આવુ એટલા માટે કે જે પ્રોડ્યુસરે તેમની ફિલ્મોમાં પૈસા લગાવ્યા છે તેઓ ડરી ના જાય અને આમ પણ તેમને જી બીમારી થઇ છે તે ક્યુરેબલ છે. તેમના સિવાય જેટલા એક્ટર્સને આ બીમારી થઈ હતી તેઓ આજે ફીટ એન્ડ ફાઈન છે. તેમનું ઈલાજ તો ભારતમાં જ થઇ ગયું હતું.