મુંબઈ
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને જોધપુરના સેશન્સ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટ દ્વારા સલમાનને વિદેશ જતા પહેલાં પરવાનગી મેળવવાની પ્રક્રિયામાંથી મુક્ત કર્યા છે.સલમાનના વકીલ એચ. એમ. સારસ્વતે કહ્યું હતું કે, હવે સલમાન ખાનને વિદેશમાં જવા માટે કોર્ટથી પરવાનગી માંગવી પડશે નહીં.
તેઓએ વધુમાં કહ્યું, “પરંતુ, તેઓને મુસાફરીનો સમય, તારીખ, રહેવાનું સ્થળ સહિતની તમામ માહિતી કોર્ટમાં આપવી પડશે.”આ પહેલા બચાવ પક્ષદ્વારા સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં જમાનત માટેની શરતોમાં ફેરફાર કરવાની માંગણી કરી હતી, જેમાં મુજબ સલમાનને વિદેશમાં જવા માટે કોર્ટની પરવાનગી પૂછવાની હોય છે.
સલમાન ખાનના વકીલે કહ્યું, “પરંતુ અમે આ અરજી પાછી ખેંચી લીધી છે અને ન્યાયાધીશ ચંદ્રકુમાર સોન્ગારાએ અમારી માંગણી સ્વીકારી લીધી છે.”
આપને જણાવી દઈએ કે, કાળા હિરણ કેસ મામલે સલમાનને જોધપુર કોર્ટે આદેશ આપ્યો હતો કે, તેઓ વિદેશ જતા પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે, ત્યારે હવે આ આદેશ પર કોર્ટે તેમને રાહત આપી છે. હવેથી સલમાન ખાન કોર્ટની પરવાનગી વગર પણ વિદેશ જઈ શકે છે. હાલ સલમાન માલ્ટામાં તેમની ફિલ્મ ‘ભારત‘નું શુટિંગ કરી રહ્યા છે.