Not Set/ ‘કસૌટી જિંદગી કી-2’ થી ટીવી પર કમબેક કરશે શાહરૂખ ખાન, ફેન્સ માટે બીગ સરપ્રાઈઝ..

મુંબઈ ‘કસૌટી જિંંદગી કી-2’ ના ચાહકો માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવી શકે. આ સરપ્રાઈઝમાં કેટલું સત્ય છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. પરંતુ તાજેતરમાં એક વેબસાઇટએ એવો દાવો કર્યો છે કે ‘કસૌટી જિંદગી કી-2’ માં કોઈ બીજું નહિ પરંતુ શાહરુખ ખાનની એન્ટ્રી થવાની છે. જી હા, એવા સમાચાર છે કે, ‘કસૌટી જિંદગી કી-2’ ના […]

Trending Entertainment
'કસૌટી જિંદગી કી-2' થી ટીવી પર કમબેક કરશે શાહરૂખ ખાન, ફેન્સ માટે બીગ સરપ્રાઈઝ..

મુંબઈ

‘કસૌટી જિંંદગી કી-2’ ના ચાહકો માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવી શકે. આ સરપ્રાઈઝમાં કેટલું સત્ય છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.

પરંતુ તાજેતરમાં એક વેબસાઇટએ એવો દાવો કર્યો છે કે ‘કસૌટી જિંદગી કી-2’ માં કોઈ બીજું નહિ પરંતુ શાહરુખ ખાનની એન્ટ્રી થવાની છે. જી હા, એવા સમાચાર છે કે, ‘કસૌટી જિંદગી કી-2’ ના કમબેક એપિસોડને ખાસ બનાવવા માટે શાહરુખ ખાન લાવવામાં આવી રહ્યો છે.

તે આ શોમાં ‘કસૌટી જિંદગી કી’ માં નરેટરની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ જ દર્શકોને અનુરાગ અને પ્રેરણાથી પરિચય કરાવશે. એવી માહિતી પણ છે કે આવું થવા પાછળ શાહરૂખ અને સ્ટાર ઇન્ડિયા વચ્ચે થઇ ડીલનો ભાગ છે.

આપને જાણવી દઈએ કે, આ શોમાં એરિકા ફર્નાન્ડીઝ પ્રેરણા અને પાર્થ સમાથાના અનુરાગની ભૂમિકા ભજવી રહ્યા છે. આ શો 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યે સ્ટાર પ્લસમ પર ઓન એયર થશે.