વાયુસેનાનાં નિવૃત્ત સેનાનીએ શનિવારે રાત્રે પ્રયાગરાજનાં ખુલ્દાબાદની એક હોટલમાં આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ આસામનાં દરંગા જિલ્લાનાં શાંતિપુરમાં રહેતા ભૂતપૂર્વ વાયુ સૈનિક બીજન તરીકે થઈ છે. તેમઓ 2002 માં વાયુસેનામાંથી કાર પુલર તરીકે નિવૃત્ત થયા હતા. બીજેને શનિવારે સાંજે પ્રયાગરાજનાં ખુલ્દાબાદની એક હોટલનાં ઓરડામાં લટકીને આપઘાત કરી લીધો હતો. પોલીસને સ્થળ પરથી એક સ્યુસાઇડ નોટ મળી હતી.
પોલીસનું કહેવું છે કે સુસાઇડ નોટમાં લખેલા શબ્દો પરથી લાગે છે કે તે તેના પરિવાર અને પુત્ર માટે કંઈ ન કરવા માટે તણાવમાં હતો. સ્યુસાઇડ નોટમાં પૂર્વ સૈનિકે વડા પ્રધાન મોદીને પુત્રની મદદ કરવા વિનંતી કરી છે. ખુલ્દાબાદના પોલીસ ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, સાથે સાથે પરિવારના સભ્યોને પણ માહિતી આપવામાં આવી છે.
હોટલની પુછપરછ કરતાં, જાણવા મળ્યું હતું કે, શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બીજન હોટલમાં પહોંચ્યા હતા. અને કહ્યું હતું કે તેઓ કોઈ અંગત કામ માટે શહેરમાં આવ્યા છે. રવિવારે બપોરે તે લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવ્યા ત્યારે હોટલના કર્મચારીઓ તેના રૂમ પર દસ્તક દીધી હતી, પરંતુ અંદરથી લાબો સમય કોઈ જવાબ મળતા. ACની બારીમાંથો જોતા મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. આ પછી હોટલ સ્ટાફે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કપડાંમાંથી મળી આવેલા દસ્તાવેજોના આધારે તેઓની ઓળખ કરી હતી. આ પછી નજીકમાં પડેલા મોબાઈલ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી હતી.
કોલકાતા ગયો
સુસાઇડ નોટમાં શું લખ્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.